Abtak Media Google News

છરીના 8 ઘા ઝીંકી સાળીની હત્યા કર્યાની કબુલાત કૌટુંબિક મનદુ:ખ કારણભૂત હોવાનું ખૂલ્યું

અબતક,જામનગર

જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આવેલા સિલ્વર પાર્ક-2માં રહેતાં મીનાઝબેન શકીલભાઈ સિપાઈ (ઉ.વ. 35) ઉર્ફે કરીમાબેન નામની મહિલા શનિવારે સવારે પોતાના ઘરમાંથી કચરો નાખવા માટે બહાર નીકળ્યા હતાં. બરોબર આ સમયે ત્યાં ધસી આવેલા મુના નામના શખસે છરી વડે આ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો.

અચાનક થયેલા હુમલાથી હેબતાયેલા કરીમાબેન કંઈ વિચારે તે પહેલા હુમલાખોરે છરીના 8 ઘા ઝીકીં દેતા તેણી લોહીલુહાણ થઇ ઢળી પડયા હતા. આ દૃશ્ય નિહાળી સ્થળ પર હાજર લોકો દોડતા હુમલાખોર નાસી છૂટયો હતો. મહિલાને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીની સારવાર શરૂ કરાઈ હતી પરંતુ મહિલાએ દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.

બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકના પરિવારજનોના નિવેદન નોંધી હત્યા કરી ફરાર થયેલા શખસ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. મહિલાની હત્યા નિપજાવનાર શખસ તેણીનો બનેવી હોવાનું અને કૌટુબીક મનદુ:ખમાં હત્યા નિપજાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.