Abtak Media Google News

બન્ને ટીમો નેટ પ્રેક્ટીસ વિના જ 7મી જાન્યુઆરીએ ટી-20 મેચ રમવા મેદાનમાં ઉતરશે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આગામી 7મી જાન્યુઆરીના રોજ ભારત અને શ્રીલંકા ખાતે ટી-20 મેચ રમાવાની છે.

બન્ને ટીમોનું 6 જાન્યુઆરીના રોજ રાજકોટમાં આગમન થશે. પુને ખાતે બીજો મેચ રમાયા બાદ ભારત અને શ્રીલંકાની ટીમ બીજા દિવસે રાજકોટ ખાતે આવી પહોંચશે. જો કે બન્ને ટીમ નેટ પ્રેક્ટીશ કર્યા વિના ત્રીજો મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે.

આગામી જાન્યુઆરી માસમાં શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે.

ત્રણ ટી-20 મેચનો પ્રથમ મેચ 3 જાન્યુઆરીના રોજ મુંબઇના વાનખડે સ્ટેડિયમ ખાતે રમાશે. જ્યારે બીજો મેચ પાંચ જાન્યુઆરીએ પૂણે ખાતે રમાશે. આ મેચના બીજા દિવસે અર્થાત્ 6 જાન્યુઆરીના રોજ ચાર્ટર ફ્લાઇટમાં રાજકોટ ખાતે આવી પહોંચશે. શ્રેણીનો ત્રીજો અને અંતિમ ટી-20 મેચ રાજકોટ ખાતે 7મી જાન્યુઆરીના રોજ રમાશે. મેચનો આરંભ સાંજે 7 વાગ્યાથી થશે. બન્ને ટીમ 8મી જાન્યુઆરીએ ગુવાહટી જવા નીકળી જશે. રાજકોટમાં 17મી જૂનના રોજ છેલ્લો ટી-20 મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયો હતો. જેમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.