બોટાદ સંપ્રદાયના ગુરૂભગવંત શૈલેષમુનીના આજ્ઞાનુવર્તિ પ્રફૂલ્લાબાઇના શિષ્યા વિરતીબાઇ મહાસતીજીની આજે તા.2 ડિસે. પ્રભાતે 6:45એ જૈન સંઘના આંગણે આગમન થયું છે. અહીં 4 દિવસના રોકાણ દરમ્યાન ગુરૂભગવંતો ભાવિકોને દર્શન લાભ આપશે. આ સેવા કાર્યમાં નયનાબેન મોદી, રીધ્ધીબેન બાવીસીની સ્થાનકવાસી જૈન સંઘમાં નિમણૂંક આપી છે. ચંદ્રકાંતભાઇ શેઠના માર્ગદર્શન હેઠળ ટીમ સેવા કરશે. ગત ચાતુર્માસમાં પણ નયનાબેન મોદી અને રિધ્ધીબેન બાવીસીએ બેજોડ સેવા કરી હતી. ધર્મ કરણીમાં તપ – જપ, આયંબિલ, તપ એવમ દીક્ષાની સાંજી વગેરે આયોજનોમાં બહેનોની સંખ્યા વિશેષ હોય છે. બહેનોના નિષ્ઠાપૂર્વક સૂચારુ સંચાલનથી આરાધકોને અનુકૂળતા – સહકાર આપવાથી ધર્મ સ્થાનકોમાં આરાધકોની સંખ્યામાં વધારો થાય છે. ધર્મની સદ્દ પ્રવૃતિઓમાં કરવુ, કરાવવું અને અનુમોદનાનો લાભ મળે છે. શેઠ ઉપાશ્રય જૈન સંઘના ટ્રસ્ટી જીતુભાઈ બેનાણી, ઉપપ્રમુખ શૈલેષભાઈ માઉ તથા રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પૌષધશાળાના ઉપપ્રમુખ બિપીનભાઈ પારેખ, સહમંત્રી કેતનભાઈ શેઠ અને વિણાબેન શેઠ વિ. એ આ અવસરે ખાસ અનુમોદના કરેલ હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા