Abtak Media Google News

આગામી  રવિવારે કરવા ચોથનું વ્રત

પરિણીત મહિલાઓ પતિના દિઘાયુ માટે કરે છે કરવા ચોથનું વ્રત

આગામી રવિવારે આસો વદ -4  ના દિવસે કરવા ચોથ છે આ દિવશે રોહિણી નક્ષત્ર પણ ઉત્તમ છે ચંદ્રમા પોતાની ઉચ્ચ રાશિ માં છે. આથી આ વર્ષે કરવા ચોથનું વ્રત ઉત્તમ ફળદાયી રહેશે આ વ્રત પરણેલી મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્યની કામના સાથે કરે છે. શાસ્ત્રી રાજદીપ  જોશી ના જણાવ્યા અનુસાર આ વ્રતમાં આખો દિવસ નકકડો ઉપવાસ કરવાનો હોય છે. પંજાબ , યુપી , વગેરે પ્રાંતોમાં કરવા ચોથનું મહત્વ સવિશેષ છે.

આ દિવસે સાંજે ગણેશજી , મહાદેવ , પાર્વતીજી તથા કાર્તિકેયનું પૂજન કરવું સાથે ચંદ્રનું પૂજન કરવું . એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર થાળી રાખીને મૂર્તિ રાખવી . બધી મૂર્તિ ન હોય તો તેના બદલે સોપારી  ને નાડાછડી વીટીં ને રાખવી,ત્યારબાદ હાથમાં ચોખા , લઇ , ગણેશ સ્મરણ કરીને દાદાને ધરવા મહાદેવજીની સોપારી ઉપર ’ ૐ નમ: શિવાય ’ બોલીમ પર  ૐ ગૌરીય નમ : ’ બોલી ચોખા પધરાવવા તથા  ૐ કાર્તિય નમ :’ બોલી કાર્તિકેયની સોપારી ઉપર ચોખા પધરાવવા . ત્યારબાદ જળ અને પંચામૃત ચડાવી તથા ચંદ્ર દેવની સોપારી રાખી તેના ઉપર  ૐ સોમાય નમ :’ બોલી ચોખા પધરાવવા તેને પણ જળ અને પંચામૃત અર્પણ કરવું.

સોપારી ઉપર જળનો અભિષેક કરી વસ્ત્રોથી સ્વચ્છ કરી , બાજોઠ પર વસ્ત્ર રાખી તેના પર પધરાવી અને વસ્ત્રી અબીલ , ગુલાલ , ચંદન , ચોખા કરી નૈવેદ્યમાં લાડુ ધરવા ત્યારબાદ આરતી કરવી , ક્ષમાયાચના માંગવી .ચોખા પધરાવવા ,  આ પૂજન બ્રાહ્મણ દ્વારા પણ મંત્રચાર સાથે કરાવી શકાય  સાંજના સમયે પૂજન કર્યા બાદ કથા સાંભળવી અને ત્યારપછી ચંદ ઉગે એટલે એક ચારણી લેવી તેમાં દિવો પ્રગટાવી અને ચંદ્રના દર્શન કરી અર્ધ્ય અર્પણ કરવું અને ત્યારબાદ ચારણીમાંથી પતિદેવનું મોઢું જોવું અને પતિદેવના હાથે જળ પીવું અને પતિદેવને ભોજન આપી પછી પોતે ભોજન કરવું સાસુ માતાજીને પગે લાગી એક લોટો અને તેમને નવા વસ્ત્ર ભેટમાં આપવા બ્રાહ્મણને દાન દક્ષિણા આપી સાસુ તથા પતિદેવના આશિર્વાદ લેવા.આ પ્રમાણે 12 વર્ષ અથવા 16 વર્ષ સુધી આ વ્રત રહેવું આજીવન પણ રહી શકાય વ્રતના ઉદ્યાપનમાં 13 સુહાગી બહેનોને ભોજન કરાવવું.સાંજે પૂજાનો સમય સાંજે 6.14 થી 8.00નો છે . ચંદ્ર ઉદયનો સમય રાત્રે 8.48નો છે .શાસ્ત્રી રાજદિપ જોષી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.