Abtak Media Google News

ગૌ સંધાણી સંપ્રદાય પૂ. બ્રા.બ. ઉર્મિલાબાઇ  મહાસતીજી તથા પૂ. નંદાબાઇ મહાસતીજી નિશ્રા નવકાર મંત્રના પદની પ્રભાવના

હરિજયોત જૈન ઉપાશ્રય (વખારીઆ ઉપાશ્રય) ખાતે ગો. સંઘાણી સંપ્રદાય પૂ. બા.બ્ર. ઉર્મિલાબાઇ મહાસતીજી ત્થા પૂ. બા.બ્ર. નંદાબાઇ મહાસતીજીની નિશ્રા માઁ ર, ભીડભંજન સોસાયટી નટરાજ નગર પાસે યુનિ. રોડ ખાતે છેલ્લા દસ વર્ષથી ગોંડલ ગચ્છ ગાદીપતિ પ.પૂ. ગુરુદેવ ગીરીશચંદ્ર  મહારાજ સાહેબની પ્રેરણાથી ચૈત્ર માસ તથા આસો માસની આયંબિલ ઓળી જૈનોના મહામંત્ર નવકાર મંત્રના પદ (વર્ણ) પ્રભાવનાનું આયોજન થાય છે

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા હરિજયોત જૈન ઉપાશ્રયના જીજ્ઞાબેન વખારીયાએ જણાવ્યું હતું કે, હોલ શરુ થતી આયંબિલ ઓળી સ્થાનકવાસી સંઘ તા. 28-3 મેગા મૂર્તિ પુજક સંઘ તા. ર9-3 બુધવાર આમ કુલ 10 દિવસની આયંબિલ ઓળીની આરાધના કરવામાં આવશે.

તેલ, ઘી, દૂધ, દહીં, શાકભાજી, ફળ વગેરે વિનાનો આહાર એક જ જગ્યાએ બેસી વાપરવાનો હોય છે. આયુર્વેદીક, વૈજ્ઞાનિક દ્રષ્ટિથી શરીરની રોગ પ્રતિકારક શકિત વધે છે. વાત, પિત્ત, કફના પ્રકોપ શમી જાય છે. સળંગ નવ દિવસ આયંબિલ થઇ શકે તો તે શ્રેષ્ઠ છે પણ કોઇ કારણસર ન થઇ શકે તો છુટક પણ આયંબીલ થઇ શકે.

સમગ્ર રાજકોટમાં એક માત્ર સંપૂર્ણ લેડીઝ સંચાલીત જૈન ઉ5ાશ્રયમાં આપ સર્વનો સાથ સહકાર મળી રહે તેવી નમ્ર અપીલ સંઘ પ્રમુખની જીજ્ઞાબેન વખારીયા તેમ જ મહિલા  મંડળના તમામ બહેનોએ કરેલ છે.

શાશ્ર્વતી ચૈત્ર માસ આયંબીલ ઓળીમાં તપસ્વીઓને તપસ્યા કરવા માટે શ્રી હરિજયોત જૈન સંઘ, હરિજયોત જૈન મહિલા મંડળ તથા તમામ દાતાશ્રીઓ તરફથી વિનંતી કરવામાં આવે છે.

તપસ્યામાં જોડાવા ઇચ્છતા તપસ્વીઓએ જીજ્ઞાબેન વખારીઆ મો. નં. 94292 48362 પર સંપર્ક કરવા વિનંતી.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે હરિજયોત જૈન ઉપાશ્રયના પ્રમુખ જીજ્ઞાબેન વખારીઆ, રૂપાબેન મહેતા, મીનાબેન શાહ, પ્રતિભાબેન મહેતા, પ્રીતિબેન પડીઆ, તૃપ્તિબેન ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.