વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની કર્ણાટકની મુલાકાતે છે. પહેલા દિવસે તેઓ શ્રવણબેલગોલા પહોંચ્યા છે. અહીંયા તેમણે એક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ભારત સરકારે સામાન્ય બજેટમાં આયુષ્માન ભારત યોજના હેઠળ એક વર્ષમાં પરિવારને બીમારીના ઇલાજ માટે 5 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. આઝાદી પછી ભારતમાં ઉઠાવવામાં આવેલું આ સૌથી મોટું પગલું છે. આ પહેલા આ રીતે આખી દુનિયામાં કોઇએ નથી વિચાર્યું. આ અમે કર્યું છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસમાં આ મોદીની બીજી કર્ણાટક મુલાકાત છે. તેઓ 4 ફેબ્રુઆરીના રોજ પણ બેંગલુરૂ ગયા હતા. રાજ્યમાં આ જ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા