Abtak Media Google News

પૂ.અપૂર્વમુનિ સ્વામી સુખનો સુર્યોદય, દુ:ખનો દેહાંત વિષય પર પ્રેરક માર્ગદર્શન આપશે

વિશ્વવંદનીય સંતવિભુતિ પૂ.પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા વિવિધ સમાજ માટે પ્રેરણા સમારોહનાં આયોજન થઈ રહ્યા છે એ અંતર્ગત તા.૮/૧૦ ને સોમવારે રાજકોટનાં સમસ્ત રઘુવંશી-લોહાણા સમાજ માટે રઘુવંશી-લોહાણા સમાજ પ્રેરણા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમારોહમાં પ્રેરક વિડીયો શો જેવા રસપ્રદ કાર્યક્રમો યોજાશે તેમજ ઉપસ્થિત સૌ માટે રાજકોટ બીએપીએસ મંદિરના સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામી સુખનો સુર્યોદય, દુ:ખનો દેહાંત વિષયક પ્રેરણાત્મક વકતવ્યનો લાભ આપશે. આ સમારોહનો લાભ લેવા રાજકોટ મંદિરના કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી તથા સંત નિર્દેશક પૂજય અપૂર્વમુનિ સ્વામીએ સમસ્ત રઘુવંશી-લોહાણા સમાજને અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.