Abtak Media Google News

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા શુક્રવારે રથયાત્રાનો ઉત્સવ વરસતા વરસાદમાં ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો.

20220701180244 Img 7939

જેમાં રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીએ રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે અક્ષરપુરુષોત્તમ મહારાજને કુમકુમનો ચાંદલો કરી રથયાત્રાનો આરંભ કરાવ્યો હતો.

20220701174900 Img 7864

રાજકોટ મંદિરના તમામ સંતોએ ભગવાનને પધરાવેલ રથને વિહાર કરાવવાનો લાભ પ્રાપ્ત કર્યો હતો અને મંદિર ફરતે ત્રણ પ્રદક્ષિણા કરવામાં આવી હતી.

20220701174936 Img 7870

ત્યારબાદમંદિરના સભાહોલમાં હરિકૃષ્ણ મહારાજનેગરુડરથમાં બેસાડી વિહાર કરાવવામાં આવ્યો હતો.

20220701175104 Img 7884

ઉપસ્થિત હરિભક્તોએ કીર્તનભક્તિનો લાભ પ્રાપ્ત કર્યો હતો. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ પ્રાપ્ત કર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.