Abtak Media Google News

નવુ સ્થળ ગાંધીનગરનો ટાઉન હોલ: સમારકામના કારણોસર સ્થળ બદલાયું

શંકરસિંહ વાઘેલા ફરી એક વખત ‘સંસંવદેના કાર્યક્રમ દ્વારા ૨૧મી જુલાઈ તેમના સમર્થકો સાથે જન્મદિવસે મહાત્મા મંદિર ખાતે શકિત પ્રદર્શન કરવાના હતા ત્યારે મહાત્મા મંદિરના જનરલ મેનેજરે પત્ર લખીને હોલ મળી શકે તેમ ન હોવાની જાણ કરાતા હવે તેઓ સંસંવેદના સંમેલન ‘મહાત્મા મંદિર’ના સ્થાને ગાંધીનગનાં ટાઉન હોલ ખાતે યોજશે અમે જાણ કરી હતી. મહાત્મા મંદિરના જનરલ મેનેજરે શંકરસિંહ વાઘેલા બાપુ જન્મદિવસની ઉજવણી સમિતિના અધ્યક્ષને સંબોધીને આ પત્ર લખ્યો હતો જેમાં હોલ નહી મળી શકે તેવી જાણ કરવામાં આવી હતી હોલ ન આપવાના કારણનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં ગત મે અને જૂન ૨૦૧૭માં બે વિશ્ર્વકક્ષાની ઈવેન્ટ જેમાં એએફડીબી અને ટેક્ષટાઈલ ઈન્ડિયા બાદ મહાત્મા મંદિર ખાતે ઘણા લાંબા સમયથી બાકી રહેલ સમારકામ અને રખરખાઉ કામ જેવા કે ઈલેકટ્રીકલ, ઈએલવી, એર કન્ડિશનીંગ અને મિકેનિકલ કાર્ય હાલ હાથ ધરાયું છે. જેને પગલે મુખ્ય ક્ધવેશન હોલ, ફૂટકોર્ટ કે અન્ય મોટા હોલ આપી શકાય તેમ નથી તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.