Abtak Media Google News

અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે પ્રવાસીઓના સુરક્ષા ચકાસણી સહિતની પ્રવેશ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટેની સવલતમાં ઉમેરો કરીને ડોમેસ્ટિક એરપોર્ટના પ્રવેશ દ્વાર ઉપર બે બાર કોડ રીડર્સ સ્થાપીને કાર્યરત કરવામાં આવ્યા છે. જેનો ઉપયોગ પ્રવાસીઓની વિગતોની ઝડપી ચકાસણી માટે કરવામાં આવશે. આ પ્રવેશ દ્વારો ઉપર તહેનાત સીઆઇએસએફના જવાનો મેન્યુઅલ ચેકના બદલે પ્રવાસીઓની ટીકીટ અથવા બોડીંગ પાસ ઉપરના બાબર રોડનું સ્કેનીંગ કરશે.

આવી વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય ટર્મિનલ સહીતના તમામ પ્રવેશ દ્વારો ઉપર ટુંક સમયમાં સ્થાપવાનો એરપોર્ટ ઓપરેટરનો ઇરાદો છે.

બારકોડ સ્કેનર ટેકનલોોજીની સ્થાપનાથી ફકત સુરક્ષા વ્યવસ્થામાં જ સુધારો નહી પરંતુ પ્રવાસીઓના એરપોર્ટમાં પ્રવેશની મુશ્કેલીઓનું પણ પણ નિવારણ કરી પ્રવેશની ગતિવિધિથી કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.