તા. ૧૨.૬.૨૦૨૫, ગુરુવાર ,સંવંત ૨૦૮૧, જેઠ વદ એકમ, મૂળ નક્ષત્ર, શુભ યોગ , તૈતિલ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો,દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે,અંગત લોકોમાં મતભેદ રહી શકે .
સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : નોકરિયાતવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ) : મિત્રોની મદદ મળી રહે,કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.
મીન (દ,ચ,ઝ,થ) : નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો,આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–ના સમજી શકાય તેવા સંબંધોનું કોકટેલ : રાજા રઘુવંશી હત્યા કેસ
મંગળ કેતુ યુતિ આગળ વધી રહી છે તેમ તેમ પૃથ્વીલોકના નવા નવા આયામ સામે આવી રહ્યા છે. અગાઉ લખ્યા મુજબ હત્યા, આત્મહત્યા ચર્ચામાં આવી રહ્યા છે અને ના સમજી શકાય તેવું સંબંધોનું કોકટેલ સામે આવી રહ્યું છે. રાજા રઘુવંશી હત્યા કેસ સાંપ્રત સમાજની સ્થિતિ સામે લાવી રહ્યું છે અને લગ્ન વ્યવસ્થા કેવા પડકાર વચ્ચે થી પસાર થઇ રહી છે તે સૂચવી રહ્યું છે!! કુટુંબવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા બહુ ખરાબ દોરમાં થી પસાર થઇ રહ્યા છે વળી મંગળ એ ભુમીલોક મૃત્યુલોક દર્શાવે છે માટે જ મંગળ કે જે જીવનની શરૂઆતની પ્રથમ રાશિ મેષ દર્શાવે છે એ જ બીજી મૃત્યુની આઠમી રાશિ વૃશ્ચિકનું પણ આધિપત્ય કરે છે. વળી વૃશ્ચિકના બે સ્વામી ગણવામાં આવે છે મંગળ અને કેતુ જે બંને અત્યારે સાથે ચાલી રહ્યા છે જે મૃત્યુને બળવત્તર કરે છે અને અગાઉ લખ્યા મુજબ હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓનો ચકચાર જાગે છે તો અકસ્માત આગજની પડવા વાગવાની ઘટના અત્યારે વધુ બનતી જોવા મળે છે તો આતંકી ગતિવિધિ પણ આ સમયમાં તેજ થતી જોવા મળે જેના કારણે બે દેશ વચ્ચે ઉશ્કેરાટ વધે અને ukren રશિયા અને ઇઝરાયેલ બધા મોરચે શાંતિ થતી નથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ભેદી મૌન ચાલે છે જે એક છમકલાંથી પરિસ્થિતિ વણસી શકે છે તે સમજવું રહ્યું!!!
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨