Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને વિલંબ થી પણ કાર્યમાં સફળતા મળશે

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

સોનમ કપૂર તેના સ્ટાઇલિશ લૂકમાં આવી નજર

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»ખાટલે મોટી ખોટ!! :‘રૂપિયા’ હોવા છતાં ર000 કેન્દ્રો અણઆવડતને લઇ સ્વાચ્થ્યથી વંચીત!!
National

ખાટલે મોટી ખોટ!! :‘રૂપિયા’ હોવા છતાં ર000 કેન્દ્રો અણઆવડતને લઇ સ્વાચ્થ્યથી વંચીત!!

By ABTAK MEDIA07/07/20212 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

કોરોના સામે લડવા કેન્દ્ર તરફથી ફાળવાયેલું 1299 કરોડ રૂપિયાનું ભંડોળ અણધડ આયોજનને કારણે વણવપરાયેલું!!

ઘાતકી નિવડેલી કોરોનાની બીજી લહેરથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં સાથે સ્વાસ્થ્ય કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. બેડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને ભંડોળ ફાળવ્યું હતું. જે મુજબ ગુજરાત સરકારને પણ સ્વાસ્થ્ય માટે એમાં પણ ખાસ ગ્રામ્ય વિસ્તારમાં સ્વાસ્થ્ય કેન્દ્રો ઉભા કરવા માટે ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ “ખાટલે મોટી ખોટ” પડી હોય તેમ આ ભંડોળમાંથી હજુ રૂપિયા  309 કરોડ વણવપરાયેલા પડ્યા છે.

કોરોનાના કપરા કાળમાં રૂપિયા હોવા છતાં પણ અણધડ આયોજનને કારણે 2000 કેન્દ્ર “સ્વાસ્થ્ય”થી વંચિત રહ્યા છે. એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ભંડોળનો જો આયોજનબદ્ધ ઉપયોગ થયો હોત તો રૂપિયા 309 કરોડના ખર્ચથી ગ્રામ્ય વિસ્તારમાં વધુ 2000 સ્વાસ્થ્ય કેન્દ્રો ઉભા થઇ ગયા હોત. અને કોરોનાની બીજી લહેરમાં જે સ્થિતિ સર્જાઇ તેની સામે વધુ મજબૂતાઈ લડત આપી શકત.

રાજ્યના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ કેન્દ્ર સરકાર  તરફથી મંજુર કરવામાં આવેલા 309 કરોડના ભંડોળનો ઉપયોગ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. વિશ્લેષકો જણાવે છે કે જો રાજ્ય સરકારે આ ભંડોળનો સમયસર 2,000 આરોગ્ય કેન્દ્રો બનાવવા માટે ઉપયોગ કર્યો હોત તો કોવિડ-19 રોગચાળાને પહોંચી વળવા રાજ્ય વધુ સજ્જ હોત. તો બીજી તરફ આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે તેઓને સ્વાસ્થ્ય કેન્દ્રો બનાવવા માટે જરૂરી જમીન સમયસર મળી નહિ. તેથી ભંડોળનો સમયસર ઉપયોગ થઈ શકયો નહી. આરોગ્ય વિભાગ દ્વારા નાણાં વિભાગને જાણ કરાઈ કે તેઓએ આયોજિત 2,000 સ્વાસ્થ્ય કેન્દ્રો ઉભા કરવાની યોજનામાંથી 168 આરોગ્ય કેન્દ્રો બનાવ્યા નથી. બાકીના 1,141 જેટલા કેન્દ્રો ઉભા થયા.

જણાવી દઈએ કે માત્ર આરોગ્ય ક્ષેત્રે જ વણવપરાયેલુ ભંડોળ નથી પડ્યું, અન્ય વિભાગો પાસે પણ ભંડોળ પડ્યું છે. માહિતી મુજબ જળ સ્ત્રોત માટે 506 કરોડ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ પાસે 236 કરોડ, ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાસે 78 કરોડ,  ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે 89 કરોડ, ગ્રામ્ય વિકાસ માટે 33 કરોડ તેમજ શિક્ષણ ક્ષેત્રે 48 કરોડ એમ કુલ 1299 કરોડ રૂપિયાનું ભંડોળ ગુજરાત સરકાર પાસે વપરાયેલું પડેલું છે.

bed COVID19 featured GOVERNMENT HEALTH money national news Oxygen
Share. Facebook Twitter WhatsApp
Previous Articleધો.10ના રિપીટર વિદ્યાર્થીઓ 15 જુલાઈથી થશે પરીક્ષાનો પ્રારંભ : આ રીતે હોલટીકીટ મેળવવાની રહેશે
Next Article સુહાના સફર ઓર યે મોસમ હસી , બોલીવુડના ટ્રેજેડી કિંગએ 98 વર્ષની વયે લીધી વિદાઈ
ABTAK MEDIA
  • Website

Related Posts

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

26/09/2023

સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા પછી જ શિવમ કોમ્પ્લેક્સના સીલ ખૂલશે

26/09/2023

રાજકોટમાં આ સાત સ્થળે ગણેશ વિસર્જન કરી શકાશે

26/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને વિલંબ થી પણ કાર્યમાં સફળતા મળશે

27/09/2023

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

26/09/2023

સોનમ કપૂર તેના સ્ટાઇલિશ લૂકમાં આવી નજર

26/09/2023

સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા પછી જ શિવમ કોમ્પ્લેક્સના સીલ ખૂલશે

26/09/2023

રાજકોટમાં આ સાત સ્થળે ગણેશ વિસર્જન કરી શકાશે

26/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને વિલંબ થી પણ કાર્યમાં સફળતા મળશે

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

સોનમ કપૂર તેના સ્ટાઇલિશ લૂકમાં આવી નજર

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.