Abtak Media Google News

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો મંગલ પ્રારંભ થયો છે. ત્યારે જૈન-જૈનેતરો ભગવાનની ભકિતમાં રસતરબોળ થયા છે. વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનો લાભ લઈ રહ્યા છે. ગઈકાલથી દેરાવાસી જૈનોનું પર્યુષણ પર્વ શ‚ થતા રાજકોટ શહેરનાં વિવિધ દેરાસરમાં ભગવાન મહાવીરને નયનરમ્ય આંગી કરવામાં આવી હતી.

પર્યુષણ પર્વ દરમ્યાન દરરોજ ભગવાનને હીરા-મોતી-માણેકની લાખેણી આંગી અને અવનવો શણગાર કરવામાં આવશે. શ્રાવક-શ્રાવિકાઓ દરરોજ ભગવાનના વિવિધ દર્શન -શૃંગારનો લાભ લઈ પાવન થશે. ઉપરોકત તસ્વીરમા શહેરના પંચવટી અને મણિયાર દેરાસરમાં ભગવાનને કરવામાં આવેલી આંગીના દર્શન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.