જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન તથા JITO ના પ્રેરક આચાર્ય ભગવંત પૂ.નયપદ્દમસાગરજી મ.સા.ની પ્રેરક ઉપસ્થિતમાં થોડા સમય પૂર્વે મુંબઈમાં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જીવદયા રત્ન તરીકે સન્માનિત કરેલ. જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન અને જીતો ના ગુજરાતના પ્રમુખ રાજુભાઈ કેસ્ટ્રોલે જણાવ્યું કે છેલ્લા ત્રણ દાયકાથી અમો આદરણીય વિજયભાઈ સાથે કાયે કરીએ છીએ.કોલેજના જી એસ થી લઈને મુખ્ય મંત્રી સુધીની તેઓની સફર લોકોના કલ્યાણ કાજે તથા જીવદયા માટે સદા તત્પર રહે છે.વિજયભાઈ હર હંમેશ કહે છે કે હું તો કોમન મેન છું. સમગ્ર ભારતના રાજ્યોમાંથી એક માત્ર જૈન મુખ્ય મંત્રી એવા શ્રી વિજયભાઈ રૂપાણીને ૬૪ માં જન્મ દિન અવસરે રાજુભાઈ કેસ્ટ્રોલ તથા સમસ્ત જૈન સમાજ તરફથી શુભેચ્છા, શુભકામના સહ અભિનંદન. આચાર્ય ભગવંત પૂ.નયપદ્દમસાગરજી મ.સાહેબે પણ વિજયભાઈ ઉપર કૃપાશિષ વરસાવતા કહ્યું કે માનવતા,જીવદયાના પ્રેરક કાર્યો કરી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાજેન કરતાં રહેજો તેવા ગુરુવર્યોના આશીર્વાદ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સિફતથી કામ લેવું ગુસ્સામાં આવી નિર્ણયો ના કરવા સલાહ
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન