Abtak Media Google News

પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વારંવાર પત્ની સાથેના વિવાદના બાબતે ચર્ચામાં રહે છે.ત્યારે ફરી એકવાર આ  મુદ્દો ચર્ચામાં બન્યો છે.મંગળવારે રાત્રે તેમની પત્ની એ ભરતસિંહ સોલંકીને 24 વર્ષીય યુવતીના બંગલામાંથી પકડ્યા હતા. ભરતસિંહ સોલંકીની પત્ની તેમનો પીછો કરતી હતી ત્યારે તે યુવતીના ઘરે પહોચી.તેમની પત્નીએ દરવાજો ખખડાવ્યો, અને દરવાજો ખોલતાજ પત્નીએ તેમની ફેંટ પકડી લીધી હતી અને ભારે હોબાળો થયો હતો. આ અંગે તેમનો વિડિયો પણ વાઇરલ થયો હતો. આ વાઇરલ વિડીયો ખૂબજ ચર્ચામાં રહ્યો હતો.અને આ આ મુદ્દે હવે તેમણે પત્રકાર પરિષદ કરી છે.

આ પત્રકાર પરિષદમાં તેણે જણાવ્યુ છે કે અમે હિંદુ ધર્મના સાચા હિમાયતી છીએ. પણ વાત ને રંગ પણ અલગ આપવામાં આવે છે. આ દેશમાં કેટલાય કુટુંબ છે જેમના લગ્નજીવનમાં સમસ્યા સર્જાતી હોય છે. પરિવારમાં સમાધાન ન થાય તો કોર્ટ સુધી મુદ્દો જાય છે.જ્યાં લગ્ન થયા ના 15 વર્ષ સુધી કોઈ સબંધ ન હોય માત્ર ઔપચારિક સબંધ રહ્યા છે.હું ઇચ્છતો હતો કે આ બાબત ઘરની ઘરમાં રહે.

મને કોરોના થયો ત્યારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને અહેમદ પટેલે મદદ કરી. મને બરોડાથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઈ આવ્યાં. મેં જેને છુટા છેડા આપવા માટે અરજી કરી તેણે મારા પિતાને કહ્યું કે હવે ભરત નહીં બચે. મને એ હોસ્પિટલમાં મળવા આવ્યા ત્યારે એક જ વાત કરતાં હતાં કે તમે મરી જશો તો મારૂ શું થશે. તેને મારા રૂપિયા ક્યાં છુપાયેલા છે તે શોધવામાં જ રસ હતો. મારે કોઈ બાળક નથી. મારુ મૃત્યુ થાય તો મારી મિલકત તેમને જ મળવાની હતી પણ તેમને ધીરજ નહોતી. તેણે દોરા ધાગા કર્યાં અને પુછતી કે આ ક્યારે મરશે.તેમણે કહ્યું કે તેમની પત્ની તેમણે માનસિક ત્રાસ આપતી હતી.અને તે ત્રીજા લગ્ન પણ કરશે.તેમણે મોટી જાહેરાત કરી કે તેમણે રાજકારણ માંથી 6 મહિના માટે લીધો બ્રેક.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.