Abtak Media Google News

રોહિત સંગતાણી, ભાવનગર 

આજે સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગના જળાશયો ઓવરફલો થઈ ગયા છે. હવે સામાન્ય વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જાય છે અને જળ હોનારતનો ખતરો ઝળુંબી રહ્યો છે.

આજે સવારે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ 33 જિલ્લાના 190 તાલુકાઓ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. ત્યારે ભાવનગર શહેરમાં અને જિલ્લામાં પણ ગઈ કાલથી સતત વરસી રહ્યો છે. વરસાદને કારણે ભાવનગરના જાણીતા બોર તળાવમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થતાં તળાવ પૂરેપૂરું ભરાઈ ગયું છે અને છલકાવાની તૈયારીમાં છે.

ભાવનગર શહેરની ઐતિહાસિક ધરોહર અને ગોહિલવાડની રૈયતને રાજવંશોજોની અણમોલ ભેટ એવાં ગૌરીશંકર સરોવર-બોરતળાવમાં ગત રાતથી શરૂ થયેલી પાણીની ધીંગી આવકને પગલે છલકાવાની તૈયારીમાં છે.

આજે સવારથી જ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનુ તંત્ર બોરતળાવ ખાતે સતર્ક છે. બોર તળાવના હેઠવાસમાં આવતાં લોકોને પણ તંત્ર દ્વારા સતર્ક કરવામાં આવ્યાં છે. સમગ્ર વર્ષ દરમિયાન ભાવનગરની તૃષા છુપાવતું બોર તળાવ છલકાવાની તૈયારીમાં છે.ત્યારે તેના નીરના વધામણા કરવાં માટે ભાવનગર વાસીઓ ઉત્સુક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.