Abtak Media Google News

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જાય છે દરરોજ અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ભાવનગરમાં વધુ એક મોટો અકસ્માત સર્જાયો હતો ઘાસચારા ભરેલું આયશર પલટી જતા છ લોકોના મોત થયા હતા આ ઘટનાને પગલે સ્થાનિકોએ 108 ને જાણ કરતા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ કાફલો અને લોકોના ટોળા ત્યાં દોડી ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ભાવનગર જિલ્લાના વલ્લભીપુરા તાલુકાના મેવાસા ગામની છે જ્યાં આજ રોજ અકસ્માત સર્જાયો હતો. મેવાસા ગામ ભરેલો ટ્રક પલટી છતાં અનેક લોકો આયશર નીચે દટાયા હતા જેમાં સાત લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ ભયાનક અકસ્માત થતા સ્થાનિકોના ટોળેટોળા હતા અને 108 ને જાણ કરતા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

ઘાસચારા ભરેલા આયશરમાં અંદાજે 15 મજૂરો સવાર હતા ત્યારે વાહન પલટી છતાં નીચે મજૂરો દબાયા હતા જેમાંથી છ મજૂરના મોતની ભજીયા હતા અને બાકીનાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં મૃત્યાંક વધારો થવાની આશંકાઓ હાલ સેવાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.