Abtak Media Google News

ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના પડવા ગામે મિેંદરમાં યોજાયેલ બટુક ભોજન લેવા ગયેલી નવ વર્ષની બાળકીની એકલતાનો લાભ લઇ 30 વર્ષના ઢગાએ બળાત્કાર ગુજાર્યાની પોલીસમાંથી ફરીયાદ નોંધાતા સમગ્ર પંથકમાં આરોપી પર ફીટકાર વર્ષી રહ્યો છે.

આ ઘટના અંગેની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સગીર બાળકીની માતાએ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે પડવા ગામે રહેતા અજયસિંહ ગંભીરસિંહ ગોહીલ (ઉ.વ.30)નું નામ આપ્યું છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ગામના પાદરમાં આવેલ મંદિરે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હોય ભોગ બનનાર બાળા બટુક ભોજનનો પ્રસાદ લેવા ગઇ હતી આ વખતે બાળાની એકલતાનો લાભ લઇ બાળા પર નરાધમ યુવાને બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઘટનાની ભોગ બનનાર બાળાએ ઘરે આવીને માતા-પિતાને વાત કરતા ઘોઘા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે પોલીસે તપાસ હાથ ઘરતા આરોપી પડવા ગામે ખેતી કરતો હોવાનું અને પરણીત હોવાનું તેમજ એક સંતાનનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.

ઘોઘા પોલીસે આરોપીની અટકાયત કરી ભોગ બનનાર બાળા સાથે આરોપીનું મેડીકલ પરીક્ષણ કરાવી વિશેષ તપાસ પી.એસ.આઇ. એમ.કે. વિઝુડા ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.