Abtak Media Google News

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૫ મેના રોજ ધો. 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. ધો.10ના 9.60 લાખ જેટલા વિઘાર્થીઓના પરિણામની કાર્યવાહી પૂર્ણ થતા રપ મેના રોજ પરિણામ જાહેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ધોરણ 1ર સામાન્ય પ્રવાહનું પરિણામ આગામી સપ્તાહમાં 30 મે આસપાસ જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 1ર ની પરીક્ષા 14 માર્ચથી લેવામાં આવી હતી. આ પરીક્ષા ર9 માર્ચ સુધી ચાલી રહી હતી. ધો. 10 ની પરીક્ષામાં રાજયના 9.56 લાખ જેટલા વિઘાર્થીઓ નોંધાયા હતા. જયારે ધોરણ ૧૨  સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિઘાર્થીઓ નોંધાયા હતા. સાયન્સમાં પણ રાજયના 1.26 લાખ વિઘાર્થીઓ નોંધાયા હતા.

પરીક્ષા પૂર્ણ  થયા બાદ બોર્ડ દ્વારા ઉતરવહી મૂલ્યાંકનની કામગીરી શરુ કરાઇ હતી.મૂલ્યાંકનની કામગીરીમાં સૌ પ્રથમ ધોરણ 1ર સાયન્સની મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થતા બોર્ડે ર મેના રોજ ધોરણ 1ર સાયન્સનું પરિણામ  જાહેર કરાયા બાદ બાકી રહેલા બન્ને પરિણામ સમયસર જાહેર થાય તે માટે બોર્ડ દ્વારા પ્રયાસો શરુ કરાયા હતા. જેમાં ધો. 10 ના પરિણામોને લગતી તમામ કામગીરી પૂર્ણ થઇ હોવાનું જાણવા મળે છે. જેથી બોર્ડ દ્વારા રપ મેના રોજ ધો. 10નું પરિણામ જાહેર કરવાનું આયોજન કરાયું હોવાનું જાણવા મળે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.