Abtak Media Google News

079-23276944 અને 9408216029 ઉપર સરળતાથી માહિતી મળશે

અબતક,રાજકોટ

યુક્રેનમાં યુધ્ધની પરિસ્થિતિમાં ફસાયેલા ભારતીય નાગરીકો અંગે તેઓનાં સગા સંબંધીઓને સરળતાથી માહિતી મળીરહે તેમાટે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. તેમ પ્રદેશ ભાજપ મીડિયા ક્ધવીનર ડો. યજ્ઞેશભાઈ દવેએ જણાવ્યું હતુ.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે એક હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો.જે પૈકી ગુજરાતનાં વાલીઓ સગાસંબંધીઓ આનંબર પરથી સરળતાથી જાણકારી મેળવી શકશે અને કોઈપણ પ્રકારની મદદ પૂરી પાડી શકાશે. પ્રદેશ કાર્યાલય હેલ્પલાઈન નંબર 079-23276944 અને +91 94082 16029 છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.