Abtak Media Google News

અડવાણીજીને વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના દિગગજ નેતાઓએ દીર્ધાયુ માટે પાઠવી શુભકામના

બીજેપીના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિન છે. તેઓ 94 વર્ષના થયા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ લાલકૃષ્ણ અડવાણીની તંદુરસ્તી અને દિર્ઘાયુ માટે શુભકામના પાઠવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

આ સિવાય પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીઢ નેતાને શુભેચ્છા સંદેશ મોકલાવ્યો હતો. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી બાજપાઈ સરકાર વખતે લાલકૃષ્ણ અડવાણી ઉપવડાપ્રધાન રહી ચૂકયા છે.

પરંતુ તેમની અંદરુની ખ્વાહીશ દેશના વડાપ્રધાન બનવાની હતી. જો કે, અત્યારે બીજેપીના આ પીઢ નેતા અત્યારે સાઈડ લાઈન થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.