Abtak Media Google News

બગસરામાં જેતપુર રોડ, મફતપરા વિસ્તારમાં આવેલ સંત શિરોમણી વેલનાથબાપુના મંદિરે જય વેલનાથ સેવા ટ્રસ્ટ દ્વારા વેલનાથ સેનાનો ભવ્ય સન્માન કાર્યક્રમ અને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં સુરતના ઉધોગપતિ બંસીભાઈ ગોડકીયા, પરેશભાઈ ડાબસરા, જય વેલનાથ સેના ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ પંચાસરા, ઉપપ્રમુખ ભુપતભાઈ ઉનાવા, રમેશભાઈ કરાણીયા, કનુભાઈ અઘેરા સહિતના આગેવાનોએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકયો હતો ત્યારબાદ બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ રકતદાન કરેલ હતું. આ રકતદાન શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીને રકતદાન કરવામાં આવેલ.

કાર્યક્રમના અધ્યક્ષ દેવજીભાઈ ફતેપરાનું જય વેલનાથ સેવા ટ્રસ્ટ બગસરા, પીઠડીયા ગ્રુપ, હાલરીયા ગ્રુપ, ચલાલા ગ્રુપ, વેલનાથ યુથ ફાઉન્ડેશન અમરેલી સહિતના વિવિધ ગામોમાંથી આવેલ ચુવાળીયા કોળી સમાજ દ્વારા મોમેન્ટ, હાર, સાફો, તલવાર (શકિત) આપી ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું અને બગસરા શહેર/ તાલુકાના ચુવાળીયા સમાજના કર્મયોગી અધિકારીઓ તેમજ સમાજના તારલાઓ વિદ્યાર્થીઓને જય વેલનાથ સેવા ટ્રસ્ટ બગસરા આયોજીત મોમેન્ટો દેવજીભાઈ ફતેપરા તેમજ પધારેલ મહેમાનો અને આયોજક મંડળના સભ્યોના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ દેવજીભાઈ ફતેપરાએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, વેલનાથ સેના ચુવાળીયા કોળી સમાજનો એકપણ ધારાસભ્ય ન હોય અને ચુવાળીયા કોળી સમાજ ધારાસભ્યથી ચુવાળીયા કોળી સમાજને વાંજીયા મેણુ હોય તે વાંજીયા મેણુ ભાંગવા આ વેલનાથ સેનાનું સુકાનીપદ દેવજીભાઈ ફતેપરાએ સંભાળી વેલનાથ સેનાને આગળ ધપાવી રહ્યા છે અને આ વેલનાથ સેનાથી સમાજને અનેક પ્રકારના સેવાકિય લાભો મળશે તેવું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંચાલન વિપુલભાઈ મકવાણા અને રમેશભાઈ કરાણીયાએ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.