Abtak Media Google News

કેશોદ-જય વિરાણી: પોરબંદરનાં પુર્વ સાંસદ, પુર્વ મંત્રી અને સોરઠનાં સાવજનું બિરૂદ મેળવનાર સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પૂણ્યતિથિ નિમિત્તે કેશોદ શહેરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી પ્રવિણભાઈ ભાલારા, નિરંજનભાઈ પીપલીયા,વી ડી ભાલારા, કરસનભાઈ બરવાડીયા, મથુરભાઈ સિધ્ધપરા, મહેન્દ્રભાઈ ધડુક સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યાં છે.

Whatsapp Image 2021 07 28 At 6.41.18 Pmગૂજરાતી સાહિત્ય ક્ષેત્રે નામના ધરાવતાં કલાકારો દ્વારા સોશ્યલ મીડિયાનાં માધ્યમથી અપીલ કરવામાં આવી છે. આ કલાકારોમાં રાજભા ગઢવી, અલ્પા પટેલ, જીજ્ઞેશ બારોટ, યોગિતા પટેલ, વિવેક કોટડીયા વગેરેનો સમાવેશ થાય છે. સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પૂણ્યતિથિ નિમિત્તે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં રાજકોટ ડીસ્ટ્રીકટ કો ઓ બેંક નાં ડાયરેક્ટર લલીતભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહેશે. કેશોદ પથંકમાં જબ્બર લોકચાહના ધરાવતાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પૂણ્યતિથિ નિમિત્તે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં હાજર રહી રક્તદાન કરી શ્રધ્ધાંજલી આપવા યુવાનો અને યુવતીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.