Abtak Media Google News
  • ધાર્મિક કાર્યક્રમમાં  એનાઉન્સમેન્ટ વેળાએ એક જ  જ્ઞાતિના બે પરિવાર સામ-સામે તુટી પડયા: છ મહિલા સહિત 15 ઘાયલ
  • કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે  માટે ચુસ્ત બંદોબસ્ત: ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ભડેણા રાજપર ગામમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઇ છે સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો છે અંદાજિત 15 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તે ઉલ્લેખનીય છે કે અગાઉ ના ઝગડા નું મનદુખ રાખી અને સામાન્ય બાબતે બોલાચાલી બાદ સામસામે બે જૂથો વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો છે અને તે પથ્થરમારાના કારણે માથાના પગલાં તથા હાથના ભાગે 15 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા વિરમગામ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

ત્યારે આ મામલે પોલીસને જાણ થતા ઘટના સ્થળે તાત્કાલીક પોલીસ દોડી ગઈ છે બજાણા પીએસઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ અને આ મામલે તપાસ કામગીરી હાથ ધરી રહ્યો છે તેવા સંજોગોમાં અગાઉ સામાન્ય બોલાચાલી અને નાની એવી બાબતનું મનદુ:ખ રાખી અને ધાર્મિક કાર્યક્રમમાં કે જ્યાં ગણેશ પધરામણી અને અન્ય માઈકમાં આરતી કરવામાં આવી રહી હતી તે સમયે કોઈ એનાઉન્સમેન્ટ દરમ્યાન બે જૂથો સામસામે આવી ગયા છે  કોઈ અનિચ્છનીય બનાવ ન બને  તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રાજપર ગામે સામસામે પથ્થર મારામાં 15 લોકોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે જેમાં છ મહિલા 3 બાળકો અને છ પુરુષોને ગંભીર ઇજાઓ પહોંચતાં તમામને સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર પણ શરૂ કરવામાં આવી છે ત્યારે આ તમામની તબિયત સ્થિર હોવાનું પીએસઆઇ ડાભી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે અત્યારે હાલની પરિસ્થિતિ અનુસાર ગામમાં પણ શાંતિ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ગામના ઝઘડાનો મનદુખ રાખી અને ધાર્મિક કાર્યક્રમમાં બે જૂથો સામસામે આવી ગયા હોય તેવું પ્રાથમિક કારણમાં સામે આવ્યું છે..

ધાર્મિક કાર્યક્રમમાં બનાવ બન્યા બાદ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઇ : પોલીસને માનવતા મહેકાવી : પોલીસ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગઈ.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એક તરફ કથળતી રહી છે જૂથ અથડામણના બનાવો સતત વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ના રાજપર ગામે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે બે જૂથો વચ્ચે મારામારી માં પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં મુખ્ય સાત વ્યક્તિઓને માથાના અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અન્ય નાની મોટી ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેને ધાર્મિક કાર્યક્રમ આ બનાવ બન્યા બાદ તાત્કાલિક પોલીસ મથકના પી.એસ.આઇ ડાભી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો શાંત પાડી અને ઈજાગ્રસ્તોને પોલીસે જ 108 મારફતે સારવાર માટે ખસેડયા છે ત્યારે પોલીસે માનવતા મહેકાવી છે ઝઘડો શાંત પણ પાડ્યો છે અને ઈજાગ્રસ્તોને સારવાર પણ અપાવી અને હાલમાં ગુનો દાખલ કરવા ની તજવીજ પણ હાથ ધરી છે.

રાજપર ગામમાં પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કોઈપણ પ્રકારની અન્ય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી.

સુરેન્દ્રનગર જિલ્લાના રાજપર જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે જેને લઇને પોલીસ સતર્ક બની છે કોઈપણ પ્રકારની મોટી જાનહાની ન થાય અથવા ઝઘડો ન થાય તે માટે પોલીસે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે પીએસઆઇ સહિતનો સ્ટાફ સાથે દોડી ગયો છે ધાર્મિક કાર્યક્રમમાં ઝઘડાનું મનદુખ રાખી અને સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં 15 લોકોને ઈજાઓ પહોંચી છે આ મામલે ગુનો પણ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પીએસઆઇ સહિતનો સ્ટાફ ગામમાં પહોંચી ચૂક્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજુબાજુના સીસીટીવી મેળવી અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ પોલીસે હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.