Abtak Media Google News

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. રાજ્યમાં ચૂંટણીને લઈને ત્રિપખિયા જંગ જામ્યો છે. વિધાનસભાની બેઠકોને સરભર કરવા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે જામનગરની 77 ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં આવેલ ગ્રીનવિલા સોસાયટીના રહીશો દ્વારા સ્થાનિકોને પડતી મુશ્કેલી અને હાલાકીને ધ્યાને લઈને મતદાન બહિષ્કારનો નિર્ણય કર્યો છે.

મળતી માહિતી મુજબ છેલ્લા 5 વર્ષ થી સ્થાનિકોને પડતી મુશ્કેલી હલ ના થતાં સ્થાનિકોએ મતદાન બહિષ્કારનો નિર્ણય કર્યો છે. અહીંયા ગટર પાણીની સાફસફાઈ, લાઈટ રસ્તા અને જામનગર દ્વારકા મેન હાઈવે હોવાથી સોસાયટી સામે ડીવાઈડર ખુબ જ જરૂરી હોય ત્યારે આ બાબતે આ વિસ્તારના ધારાસભ્યને ઘણી વાર રજૂઆત કરવા છતાંકોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.

આ બાબતોને લઈને આ સોસાયટીના આશરે 500થી 700 લોકો દ્વારા ચૂંટણી અંગે બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.