Abtak Media Google News

જામનગરમાં ક્રાઇમની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજ રોજ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં ૧૩ વર્ષના યુવકની હત્યા કરવામાં આવી છે. આ હત્યા એટલી કરપીણ રીતે કરવામાં આવી છે જેને સાંભળતા જ રુવાડા ઉભા થઈ જાય છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે પસાયા બેરાજા ગામે રહેતા અને ખેતમજુરી કરતા આદિવાસી પરિવારના 13 વર્ષીય પંકજ કાળુભાઈ ડામોરની કોઈ શખ્સો દ્વારા માથા તેમજ શરીર પર આડેધડ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. વધુમાં આ તરુણની હત્યામાં સૌથી ચોકાવનારી બાબત એ છે કે તેનું ગુપ્તાંગ પણ હત્યારાઓ દ્વારા ક્રુરતાપૂર્વક કાપી નાખવામાં આવ્યું છે

બેરાજાની સીમમાં જે જગ્યાએ આ હત્યાનો બનાવ સામે આવ્યો છે ત્યાંથી મૃતકનું ઘર થોડે દુર આવ્યું હોવાનું જાણવા મળે છે, સમગ્ર ઘટના અંગે પંચકોશી એ ડીવીઝન પોલીસ ઉપરાંત એલસીબી એફએસએલ સાથે ઉચ્ચ અધિકારીઓની ટીમો સ્થળ પર તપાસ કરી રહી છે.

હત્યારા કોઈ જાણભેદુ જ હોવાની પોલીસ આશંકા સેવી રહી છે.આ હત્યા શા કારણે કરવામાં આવી છે ? શું પ્રેમ પ્રકરણના લીધે યુવકને મારી નાખવામાં આવ્યો છે ?? પોલીસ દ્વારા તપાસ શરુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.