Abtak Media Google News

પોલીસે અજાણ્યાં શખ્સ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ભાણ મેળવવા તજવીજ હાથધરી

જામનગર નજીક આવેલા મોરકંડા ધાર વિસ્તારમાં હત્યાની ઘટના બની હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.કોઈ અજાણ્યાં શખ્સે બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોડી રાતે મોત નિપજ્યું હતું.બનાવની જાણ પંચ-બી પોલીસ ટીમને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ હત્યારાની શોધખોળ હાથધરી છે.

બંવની પ્રાપ્ત થતી પ્રાથમિક માહિતી અનુસાર જામનગર પાસે આવેલા મોરકંડા ધાર વિસ્તારમાં એક યુવાન ઈજા ગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાની માહિતી મળતા રાત્રે પંચ-બી પોલીસની ટીમ અને 108નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તેને સારવાર ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું મોત નિપજયું હતુ.પોલીસ તપાસમાં મૃતક યુવકનું નામ સુરેશ ઉર્ફે ગડો રમેશભાઈ મકવાણા (ઉ.વ. 24) હોવાનું ખુલ્યું હતું.

મૃતક સુરેશ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારનો રહેવાસી હતો. સુરેશના માથા અને મોઢાના ભાગ પર બોથડ પદાર્થના ઘા મારીને હત્યા નીપજાવવામાં આવી હતી. પોલીસે પંચનામુ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પંચ-બી પોલીસે અજાણ્યાં શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.