Abtak Media Google News

ફિરોઝપુર સેક્ટરમાં હરભજન બોર્ડર પોસ્ટ પર બની ઘટના !!!

ભારત હાલ આંતકવાદ પ્રવૃત્તિઓ આવતા લોકો ઉપર બાજ નજર રાખી રહ્યું છે. ત્યારે ફરી એક વખત નાપાસ પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી હતી જેમાં પાકિસ્તાને માનવ રહિત ડ્રોનને પંજાબ બોર્ડર ઉપર ઉડાડવાનો પ્રયત્ન કર્યો હતો અને ભારતની સરહદની અંદર લાવવા પ્રયત્ન પણ હાથ ધર્યો હતો પરંતુ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફના જવાનોની સતરતા ના પગલે આ ડ્રોન ને ગોળીબાર કરી પાડી દેવામાં આવ્યું હતું. આ અંગે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશેલા ડ્રોનને બોર્ડર સિક્યુરિટી ફોર્સએ પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે તોડી પાડ્યું હતું. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. તરનતારન જિલ્લાના ફિરોઝપુર સેક્ટરમાં હરભજન બોર્ડર ચોકી પાસે બુધવારે રાત્રે આઠ વાગ્યે એક માનવરહિત વાહન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. બીએસએફના જવાનોએ ડ્રોનને નિશાન બનાવતા ’ભારે’ ગોળીબાર કર્યો હતો. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે ગુરુવારે સવારે જ્યારે આ વિસ્તારની શોધખોળ કરવામાં આવી ત્યારે ડ્રોન ખેતરમાં પડેલું જોવા મળ્યું હતું.

ડ્રોનમાંથી કોઈ ક્ધસાઈનમેન્ટ છોડવામાં આવ્યું છે કે કેમ તે જાણવા માટે શોધ ચાલી રહી છે. આ પહેલા બુધવારે અમૃતસર જિલ્લામાં પાકિસ્તાન તરફથી ઘૂસેલા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ પાકિસ્તાન બોર્ડર પાસે પાકિસ્તાન તરફથી એક ડ્રોનને આવતું જોયું. જેના પર તેણે ગોળીઓ ચલાવી હતી. બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.