Abtak Media Google News

પુણે-રાયગઢ બોર્ડર નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત : સ્થાનિકો બચાવ કાર્ય ચલાવ્યું, 25થી વધુ લોકો ઘાયલ

મહારાષ્ટ્રના રાયગઢમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના ખાપોલી વિસ્તારમાં એક બસ ખાઇમાં પડી હતી.  આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે.  અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકોએ બસમાં સવાર લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ખાનગી બસ પૂણેથી મુંબઈ જઈ રહી હતી.  મુંબઈ-પુણે હાઈવે પર શિંગરોબા મંદિર પાસે તે કાબૂ ગુમાવી દેતાં રોડ પરથી ખાઇમાં પડી ગઈ હતી. બસમાં 45 જેટલા મુસાફરો સવાર હતા. બચાવકર્મીઓ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ ગયા છે.

આ ઘટના મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પુણે-રાયગઢ બોર્ડર પર બની હતી. વહેલી સવારે આ બસના ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ ખાઈમાં પડી હતી.  રાયગઢના એસપી સોમનાથ ખરગેએ જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને બચાવ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.  તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.