Abtak Media Google News

નોમર્ર્લ ડીલીવરીથી જન્મેલા બાળકની રોગ પ્રતિકારક શકિત અનેક ઘણી વધારે

પ્રાણી શાસ્ત્ર અને જીવસૃષ્ટિમાં પ્રસુતિ અને શીશુના જન્મને નવો અવતાર અને સુતાપણાની પરિસ્થિતિ જન્મ લેનાર બાળકના સમગ્ર જીવનનું ભવિષ્ય સુનિશ્ર્ચિત કરવા માટે ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. માતાના ગર્ભ  કાળના આરંભથી લઇ પ્રસુતિ થઇ ગયા પછી માતાના પ્રથમ સ્તનપાન સુધીની એક-એક ઘડી નવજાત બાળકના ભવિષ્ય અને સમગ્ર જીવનના ઘડતર માટે ખુબ જ મહત્વની હોય છે.

તાજેતરમાં એક લેટેસ્ટ સ્ટડી એટલે કે નવા સંશોધનમાં એ હકિકત ઉજાગર થઇ છે કે ઉપરથી લેવામાં આવેલું બાળક સામાન્ય પ્રસુતિથી જન્મેલા બાળક કરતાં રોગ પ્રતિકારક શકિતમાં નબળું હોય છે.

ઉપરથી લેવાયેલું સીઝેરીયન પ્રસુતિથી જન્મનાર બાળકને માતાના યોની માર્ગમાં રહેલા કેટલાક ફાયદાકારક બેકટેરીયાનું આવરણ મળતું નથી. આ બેકટેરીયા બાળકને જીવનભર રોગ પ્રતિકારક શકિતથી સુરક્ષિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. સિઝેરીયનથી લેવાયેલું બાળક  સીધું જ પેટ ઉપરથી લઇ લેવામાં આવતું હોવાથી બાળકના શરીરના પ્રારંભિક ઘડતર માટે કેટલાંક લાભદાયી બેકટેરિયાનું આવરણ મળતુ નથી.  આપણામાં બાળકની તંદુરસ્તી અને કૌશલ્ય બુઘ્ધિ અને શકિત અંગે એવું કહેવામાં આવે છે કે એ તો પુરા મહિને માના પેટમાં રહીને આવ્યો છે. આ કહેવતમાં માતાના ઉદરની એક એક ઘડીનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. કેટલાંક બાળકોમાં કે જે સિઝેરિયનથી લેવાયેલા હોય તેમાં નબળાઇ અને રોગ પ્રતિકારક શકિતના કયા કારણ જવાબદાર હોય છે તેના સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે સિઝેરીયન કરાયેલું બાળક  કેટલાક ફાયદાકારક રોગપ્રતિકારક બેકટેરીયાના આવરણથી વંચિત રહે છે અને આ નવજાત બાળક પર હોસ્પિટલના વાતાવરણની પણ અસર જોવા મળે છે. જે બાકળ માતાના ઉદરમાંથી સંપૂર્ણપણે તમામ રસ્તાઓ પરથી પસાર થઇને સામાન્ય પ્રસુતિના રુપમાં જન્મ લે છે

તેમાં માતાના યોની માર્ગમાં રહેલા ફાયદાકારક બેકટેરીયાનું આવરણ હોય છે જે સિઝેરીયનથી જન્મેલા બાળકને નથી મળતું.

વૈજ્ઞાનિકોએ કરેલા એક અભ્યાસમાં મોટા પાયે બેકટેરીયા આધારીત વિષય ઉપર મેળવેલી માહીતીમાં બાળકના જન્મની પલે પલની મહત્વતાનો અભ્યાસ અને આ એક એક ઘડી ભાવિ જીવન માટે કેટલું મહત્વનું છે. તેનો અભ્યાસ કર્યો હતો માતાના પેટના ઉદરમાં રહેલા બેકટેરીયા બાળકના સઁપૂર્ણ જીવનનું ભાવિષ્ય સુનિશ્ર્ચિત કરે છે બીજા શબ્દોમાં કહીએ તો તંદુરસ્ત જીવનકાળની વિધાતાના લેખ માતાના ઉદરના કરોડો બેકટેરિયાઓ ના સહવાસથી લખાય છે. આ બેકટેરિયા નવજાત બાળકના જીવનભર સાથે દેનારી રોગ પ્રતિકારક શકિત અને બાળપણના સુદઢ વિકાસ અને અસ્થમાં, એલર્જી, અને ડાયાબીટીસ જેવા ભાવિ રોગોને આવતા અટકાવવા માટે જન્મ વખતે જ માતાના ઉદરમાંથી જ મળતી રોગ પ્રતિકારક શકિત મદદરુપ થાય છે.

લંડનની વેલકમ સેન્ઝર ઇન્સ્ટીટયુટ કોલેજ અને યુનિવર્સિટી ઓફ બર્મિઠા હામના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં સ્પષ્ટ તારણ નિકળ્યું છે કે સીઝેશ્યિન થી લેવાયેલા બાળકથી સામાન્ય પ્રસુતિથી જન્મેલા બાળકની તંદુરસ્તી સારી છે. સીઝેરિયનથી લેવાયેલા બાળકમાં હોસ્પિટલના વાતાવરણ અને માતાના ઉદરમાંથી મળતા બેકટેરીયાનો અભાવ જોવા મળ્યો હતો. જો કે આ ઉણપ એકાદ વરસમાં સરભર થઇ જાય છે. પરંતુ વિજ્ઞાનીકોએ એવું તારણ પર સહમતિ મેળવી છે કે આ ઉણપ લાંબા ગાળે સમસ્યાઓ  સર્જી શકે છે. યુસીએલના પ્રોફેસર નાઇઝેલ હીલએ જણાવ્યું હતું કે માતાના ગર્ભાશયનો સમય ગાળાની એક એક પલ બાળકના સમગ્ર જીવનના ઘડતર માટે ખુબ મહત્વની હોય છે. ગર્ભાશયમાં રહેલા અબજોની સંખ્યામાં બેકટેરીયા શીશુ માટે ખુબ જ લાભકારી અને જન્મ વખતે જરુરી તમામ પ્રક્રિયા માટે અને આખાં જીવન માટે ખુબ જ આવશ્યકત પરિબળ બની રહે છે. જે બાળકનું જન્મ સામાન્ય રીતે માતાના ગર્ભાશયના તમામ વિભાગમાંથી પસાર થઇને નોર્મલ ડીલેવરીથી જન્મેલું બાળક સંપૂર્ણ પણે સ્વસ્થ હોય છે. જયારે સિઝેરીયનથી જન્મેલું બાળક માતાના ઉદર અને ગર્ભાશયના મુખ દ્વાર સુધીના ફાયદારુપ બેકટેરિયાના આવરણથી વંચિત રહી જતુ હોવાથી આવા બાળકમાં જીવનભર એલર્જી અને કેટલાક જન્મ વખતે મળતા ચેપીરોગના વાતાવરણનું જીવનભર સોંગાત રુપે મળે છે અને આવા બાળકમાં અસ્થમાં સહીતના રોગોની શકયતા વધુ રહે છે.

આ અહેવાલમાં કુદરતી રીતે જન્મતા બાળક અને ઉપરથી લેવાયેલા બાળકની આરોગ્યની રીતે વિભિન્નતાઓ જોવા મળે છે જો કે આ અભ્યાસમાં વિજ્ઞાનીકોએ એવો આશાવાદ પણ સેવ્યો છે કે બાળકના જન્મ પછી બારેક મહિનાના સમયગાળા બાદ આ ઉણપ દુર થઇ જતી હોય છે પરંતુ તેમ છતાં વિજ્ઞાનીકોના મતે સિઝેરિયન ડીલેવરી કરતાં સામાન્ય પ્રસુતિ આર્શીવાદરુપ માનવામાં આવે છે. અલબત અત્યારે મેટરનીટી હોય પૈસા કમાવવાનું કારખાનું બની ગયા હોવાથી ખાનગી દવાખાનાઓમાં નોમલ ડીલેવરીનું પ્રમાણ ખુબ ધટેલું જોવા મળે છે.

લીલા મરચા અને આદુના ફાયદા

૧. મોટાભાગના લોકો ખાવામાં લીલા મરચાનો પ્રયોગ કરે છે.

અનેક જૂની શોધ કહે છે કે લીલા મરચામાં કૈપસેસિન હોય છે. જે અનેક બીમારીઓ માટે લાભકારી છે.

૨. જો લીલા મરચા સો આદુનો પ્રયોગ કરવામાં આવે તો તેના ફાયદા બમણા ઈ જાય છે.

૩. અનેક શોધોમાં ફેફસાના કેંસરી બચાવના રૂપમાં પણ લીલા મરચાના પ્રયોગને લાભકારી માનવામાં આવે છે.

૪. ખાંસી અને તાવ માટે આપણે આદુનો ઉપયોગ કરીએ છીએ. પણ આનો  ઉપયોગ કેંસર સામે લડવામાં પણ સહાયક છે.

૫. એવુ કહેવાય છે કે આદુમાં રહેલ ૫ જિંજરગોલ કૈપસેસિની મળીને એક એવો કંપાઉંડ બને છે જેનાી ટ્યૂમર પૈદા કરનારુ રિસેપ્ટર્સ જડી ખતમ ઈ જાય છે.

અનેક બીમારીનો ઈલાજ છુપાયો છે કોળાના બીજમાં

આપણે બધા જાણીએ છીએ કે કોળુ ખાવુ આરોગ્ય માટે લાભકારી છે. પણ તેના બીજમાં પણ ઘણા ગુણ છુપાયા છે. જેનાી આરોગ્ય સો  જોડયેલ અનેક પરેશાનીઓમાં રાહત મળી શકે છે.  કોળાના બીજમાં ઝિંક ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે જે કોઈ બીજા શાકમાં ની મળતા.  તમે તેને શાક, ફળ, મીઠાઈ કે નાસ્તામાં નાખીને પણ ખાઈ શકો છો.  આવો જાણીએ તેના ફાયદા વિશે…

* દિલ માટે – કોળાના બીજનુ રોજ સેવન કરવાી બોડીમાં મેગ્નેશિયમની કમી પૂરી ાય છે. તેનાથી દિલ તંદુરસ્ત રહે છે અને બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.

* ઈમ્યૂનિટી વધારે – કોળાના બીજમાં જોવા મળનારુ ઝિંક રોગો સામે લડવાની શક્તિ વધારે છે. તેનાી શરદી, ખાંસી અને તાવ જેવી એલર્જીી બચી શકાય છે.

* પુરૂષો માટે લાભકારી – કોળાના બીજ પુરૂષો માટે લાભકારી છે. તેનાી મેગ્નેશિયમની કમી દૂર ાય છે અને આ પ્રોસ્ટેટ ગ્રંથી માટે ખૂબ કારગર છે.

* ડાયાબીટીસનુ સંકટ ઘટાડે – કોળાના બીજ ઈંસુલિનને સંતુલિત કરવાનુ કામ કરે છે.  જેનાી મધુમેહનો ખતરો ઓછો થઈ જાય છે.

* સારી ઉંઘમાં સહાયક – તમે જો ઊંઘ ન આવવાી પરેશાન છો તો સૂતા પહેલા કોળાના બીજનુ સેવન કરો. તેનાી તણાવ ઓછો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.

* એસીડિટીથી રાહત – કોળાના બીજ પેટ માટે પણ ખૂબ લાભકારી છે.

તેને આહારમાં સામેલ કરવાથ એસીડિટીથી રાહત મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.