Abtak Media Google News

ભારત ફરી એકવાર સૌથી ઝડપી જમીની પ્રાણીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે આતુરતાનો અંત આવી ગયો છે. ચિત્તા આજ રોજ ભારત પરત આવી ચુક્યા છે. ચિત્તાને લઈને આજે સવારે 24 લોકોની ટીમ સાથે સ્પેશિયલ પ્લેને ગ્વાલિયર એરબેઝ પર ઉતરાણ કર્યું હતું. અહીં વિશેષ વિમાનમાંથી પાંજરા બહાર કાઢીને નિષ્ણાતો ચિત્તાઓનું નિયમિત ચેકઅપ કરાયું હતુ. આ પછી ચિત્તાઓને લઈને હેલિકોપ્ટર કુનો પહોંચ્યું છે.

ચિતાને ભારત લાવવા માટે કરાયું ખાસ આયોજન

Fc1C62Uagaay85B

કુનો પાર્કમાં લાવવા માટે ચિતાને ખાસ પ્રકારના પાંજરામાં લાવવામાં આવ્યા છે. આ લાકડાના પાંજરામાં હવા માટે ઘણાં ગોળાકાર છિદ્રો છે. પાંજરાને ટ્રોલી વડે ચિનૂક હેલિકોપ્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.

 

પ્રાણીઓ સહિત મનુષ્યો પ્રકૃતિ સાથે સુમેળમાં રહે તેવો વડાપ્રધાનના મિશન લાઇફનો ઉદ્દેશ્ય

Fc1C62Uaaaetell

ભારતમાં ચિત્તાના નિર્જીવતા માટેના કારણોમાં ટ્રાવર્સિંગ, બક્ષિસ અને શિકાર માટે મોટા પાયે પ્રાણીઓને પકડવા અને વસવાટમાં વ્યાપક ફેરફારોને કારણે તેમના શિકારના આધારનું સંકોચન સામેલ છે. આ બધા કારણો માનવ ક્રિયાઓ દ્વારા સંચાલિત છે. તેથી ચિત્તાનું જંગલમાં પાછા ફરવું એ પર્યાવરણીય ભૂલને સુધારવાની તક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિશન લાઇફનો ઉદ્દેશ્ય એક સમાવિષ્ટ વિશ્વ બનાવવાનો છે જ્યાં પ્રાણીઓ સહિત મનુષ્યો પ્રકૃતિ સાથે સુમેળમાં રહે છે.

ભારતીય વાયુસેનાએ કુનો નેશનલ પાર્ક ખાતે પહોચાડાયા, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ટ્વીટ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતમાં ચિત્તાના ઉતરાણની તસવીરો ટ્વીટ કર્યું હતુ. તેમણે લખ્યું, “આખરે, મધ્ય પ્રદેશમાં ચિત્તાનું આગમન! સ્વાગત છે!!”

8 ચિત્તાઓમાં 2 સગા ભાઈ
ભારતમાં આવતા 8 ચિત્તાઓમાંથી બે સગા ભાઈ છે. તેમની ઉંમર અઢીથી સાડા પાંચ વર્ષ વચ્ચેની છે. અને ૨ મિત્રો પણ છે.

 

PM મોદી કુનો નેશનલ પાર્ક પહોંચ્યા, ચિત્તાઓને પાર્કમાં છોડશે

Fc1Asonakauo33V

પીએમ મોદીનો આજે ૭૨મો જન્મદિવસ છે ત્યારે તેઓ આજે મધ્યપ્રદેશમાં કુનો નેશનલ પાર્કની મુલાકાતે આવશે ત્યાં ચિત્તાઓને પાર્કમાં છોડશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.