Abtak Media Google News
ભુજમાં સ્મૃતિવનના ઉદ્ઘાટનની તૈયારીઓ અંગે કરી સમીક્ષા
આવતીકાલે તા.26ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિવનનું કરશે ઉદ્ઘાટન

26 જાન્યુઆરી, 2001ના દિવસે આવેલા ભૂકંપને ગુજરાત અને ખાસ કરીને કચ્છના લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. આ ભૂકંપમાં કચ્છમાં હજારો લોકોના મોત થયા હતા અને ઘણું નુકસાન થયું હતું. આ કુદરતી આપત્તિમાંથી કચ્છ ભારે ખુમારી સાથે પાછું બેઠું થયું છે.

238Aba68 E1D5 49Fa 8A6E Fb8Dd2Aefa2F

આથી ભુજીયા ડુંગરની તળેટીમાં 350 કરોડના ખર્ચે 470 એકરમાં બનાવેલ સ્મૃતિવન બનાવામાં આવ્યું છે.આ સ્મૃતિવનનું ઉદ્ઘાટન કરવા આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ અંગેની સમિક્ષા કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભુજ પહોચ્યા હતા.તેમજ ભુજીયા ડુંગરની મુલાકાત પણ લીધી હતી.

B9Af2614 C8Ef 4D91 8494 38D08Da86Aef

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભુજીયા ડુંગરની મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યું હતું.તેમજ સ્મૃતિવનની મુલાકાત લઇ તેના ઉદ્ઘાટનની તૈયારીઓ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.

3C3A95E7 C134 4361 B597 2A9Bb3C215Ec Fc22787D 2528 4942 Bbeb 0Dab2E02724A

સ્મૃતિવનમાં મ્યુઝિયમ,વિવિધ હોલ, ગેલેરી, સન પોઇન્ટ વગેરે જેવા આકર્ષણના કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે.તળેટીમાં ચેકડેમ પણ બનાવાયા છે. આ મ્યૂઝિયમમાં ભૂકંપનો અનુભવ કરાવવા માટે ખાસ થિયેટર પણ બનાવાયું છે.

B9Af2614 C8Ef 4D91 8494 38D08Da86Aef 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.