Abtak Media Google News
  • વિવિધ વિભાગના રર ચેકડેમ તળાવમાં જળસિંચનની કામગીરી પૂરજોશમાં
  • લાઠી તાલુકાના દુધાળા સ્થિત હેતની હવેલીથી નેત્રયજ્ઞ રથને પ્રસ્થાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કરાવ્યું

રાજય સરકાર દ્વારા જળ સંગ્રહ અને જળ સિંચન માટે અનેક વિધ કાર્યક્રમો અમલી કરવામાં આવ્યા છે. રાજય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાન થકી રાજયમાં કાયા પલટ થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાઠી તાલુકાના લાઠી, કેરિયા, હરસુરપુર દેવળીયા, દુધાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.

મુખ્યમંત્રી ીભૂપેન્દ્રભાઈ પટેલે દુધાળા સ્થિત હેતની હવેલી ખાતેથી ’નેત્રયજ્ઞ’ રથને પ્રસ્થાન કરાવ્યુ હતુ. ’આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત લાઠી અને લીલીયા તાલુકાના 75 ગામોમાં નેત્ર ચિકિત્સા થશે. લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટના માધ્યમથી ધોળકીયા ફાઉન્ડેશન અને લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના સંયુક્ત ઉપક્રમે’ નેત્રયજ્ઞ’ સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ દુધાળાના ગ્રામજનો સાથે સંવાદ કરતા કહ્યું કે, દુધાળા ગામની જેમ સમગ ્ર રાજ્યમાં જળ સિંચનના કાયા અર્થાય તે માટે તેમણે અનુરોધ કર્યો. મહત્વનું છે કે,

હરસુરપુર (દેવળીયા)થી લઇને અકાળા ગામ સુધીમાં ગાગડીયા નદી પર જળસંપત્તિ વિભાગના 11 ચેકડેમ, જિલ્લા પંચાયત હસ્તકના 1 ચેકડેમ, 1 પીટી અને જિલ્લા જળસ્ત્રાવ એકમ હસ્તકના 8 ચેકડેમ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકના 1 ચેક ડેમ સહિત કુલ 22ચેકડેમ – તળાવ છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના દાતા સવજીભાઇ ધોળકીયાએ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વર્ષ 2018-2022 દરમિયાન ધોળકીયા ફાઉન્ડેશન, સુરતના સહયોગથી ચેકડેમ ઉંડા ઉતારવા માટેનું કામ 100 ટકા સ્વખર્ચે હાથ ધર્યુ અને તે કામો લોક ભાગીદારીથી થયા. ગાગડીયો નદી ઉપર હરસુરપુર (દેવળીયા) થી લઇને અકાળા ગામ સુધીનાં ગામોમાં આવેલા ચેકડેમ ઉંડા ઉતારવામાં આવતા, ભૂગર્ભ જળના તળ ઉંચા આવ્યા, જળ સંગ્રહશક્તિમાં વધારા ેથયો અને પરોક્ષ રીતે સિંચાઇને લાભ મળ્યો. દાતા અને સમાજ સેવક સવજીભાઇ ધોળકીયાના આગામી આયોજનમાં આશરે રૂ.150 લાખના ખર્ચે જરુરિયાત મુજબ મરામત, મજબૂતી કરણ, લંબાઇ વધારવાનું કામપણ જન ભાગીદારીથી કરવાની નેમ છે.

કેરીયાથી અકાળા – દુધાળા સુધીની આશરે 10 કિમી લંબાઇમાં ગાગડીયો નદીને ઉંડી અને પહોળી કરવી, સાફ સફાઇની કામગીરી આશરે રુ.250 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. ચેકડેમ મરામત અને નદી ડિસીલ્ટીંગ માટે અંદાજે રુ.400 લાખનો ખર્ચ થવાની સંભાવના છે. અંદાજે 4 લાખ ઘનમીટર ડિસીલ્ટીંગ કામગીરી માટે આશરે રુ.250 લાખનો ખર્ચ કરવા પણ ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવશે. ગાગડીયો નદી પર હેતની હવેલી સામે નવા મોટા ચેકડેમના બાંધકામે પીપીપી ધોરણે ધોળકીયા ફાઉન્ડેશન, સુરત દ્વારા 50 ટકા રકમનો ફાળો આપવામાં આવશે, રુ.150 લાખની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. હેતની હવેલી 1કિમી હેઠવાસમાં જગ્યાએ ગાગડીયો નદીના બે ફાંટા છે ત્યાં2 નવા મોટા ચેકડેમના બાંધકામની માંગણી પણ સમાજ સેવક ધોળકીયાએ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.