Abtak Media Google News

ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાનના ત્રીજા દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વડોદરામા

રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન શરૂ કરાયુ છે. આજે આ સંપર્ક અભિયાનના ત્રીજા દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સંસ્કારી નગરી વડોદરામાં પહોંચ્યા હતા.  મુખ્યમંત્રી વડોદરામાં રાવપુરા અને સયાજીગંજ મત વિસ્તારના ક્ષેત્રમાં ઘરે ઘરે જઈને લોકસંપર્ક કર્યો હતો. જેનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકોદ્વારા ઠેર ઠેર સ્વાગત અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. મુખ્યમંત્રીનું લોકો દ્વારા ફુલહાર અને પાઘડી પહેરાવી સ્વાગત કરાયુ હતુ. આખુ વડોદરા કેસરીયા ભગવામય બન્યુ હતુ.

મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, હજુ આ શરૂઆત છે. ૧૫૦+ બેઠકો અને ૩/૪ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે. કોંગ્રેસ અનામતની કોઇ વાત કરતી નથી. કોંગ્રેસ અને પાસનું મેચ ફિક્સીંગ ચાલે છે. પરંતુ પાટીદાર સમાજ હવે બધુ જાણી ચુક્યો છે. જ્ઞાતિ આધારીત રાજનિતીથી પર થઇ વિકાસની રાજનિતી દ્વારા ભાજપ આગળ વધી રહી છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસના મૂળીયા સાફ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.