Abtak Media Google News
ગોઝારા અકસ્માતના પગલે ટ્રાફિકજામ: પોલીસે જેસિબીની મદદથી મૃતદેહ બહાર કાઢ્યો

અબતક, રણજીતસિંહ ધાંધલ, ચોટીલા

ચોટીલા હાઈવે ઉપર કાંધાસર ગામ પાસે બંધ ટ્રેલર પાછળ ટ્રક ઘુસી જતા ટ્રક ચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલા પાસે કાંધાસર ગામ નજીક હાઇવે પર બંધ ટ્રેલર પાછળ ટ્રક ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકના ચાલક મૂળ રાજસ્થાનના સદામ ઉમરખાન નામના વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક ટ્રેલરની પાછળ ધૂસી જતા પડીકું વળી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જેસીનીની મદદથી પોલીસને મૃતદેહ કાઢવાનો વારો આવ્યો હતો. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવીને મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.