Abtak Media Google News

ચોટીલાની દર્શન કરી બાઈક પર પરત ફરતી વેળાએ માતા-પિતાની નજર સામે પુત્ર કાળનો કોળિયો બન્યો

ચોટીલા પાસે રાજકોટના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં બાળકનું કમકમાટીભર્યુ મોત નિપજયાનું સામે આવ્યું છે. રાજકોટનો પરિવાર બાઈક પર ચોટીલાની દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અજાણ્યા વાહને બાઈકને ઠોકર મારતાં માતા પિતાની નજર સામે જ પુત્ર કાળનો કોળિયો બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ પર ગણેશ પાર્કમાં રહેતા કમલેશભાઈ શાપરા પોતાના બાઈક પર ૨૨ વર્ષીય પત્ની શારદાબેન અને ૯ માસના પુત્ર દીક્ષિત સાથે ચોટીલા દર્શનાર્થે ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ ચોટીલા નજીક અજાણ્યા વાહને બાઈકને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ શારદાબેન અને પુત્ર દીક્ષિતને ઈજાઓ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ગંભીર રીતે ઘાયલ દીક્ષિતનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.