Abtak Media Google News

રાજકોટ શહેરની અદાલતોમાં વકીલોને પડતી મુશ્કેલી અને તા.18/10/21નો પરિપત્ર રદ કરવા બાર એસોશીએશનની નવનિયુક્ત ટીમ દ્વારા ડિસ્ટ્રીક્ટ જજ અને યુનીટ જજને લખેલા પત્ર બાદ  ઉકેલ નહી આવતા વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી પરિપત્રની હોળી કરી સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યા બાદ આજે બાર એસોસીએશનનું જનરલ બોર્ડ મળે તે પહેલાં જ ડિસ્ટ્રીકટ જજે પરિપત્ર રદ કરી નવી કોર્ટમાં વકીલોના પ્રશ્નો અંગે યુનિટ જજ સાથે ચર્ચા કરવાનું જણાવતા અંતે લાંબા સમયથી વકીલો અને બેન્ચ વચ્ચે ચાલતા વિવાદનો સુખદ અંત આવ્યો હતો.

વધુ વિગત મુજબ રાજકોટ ડિસ્ટ્રીક્ટ જજ દ્રારા તા.18/10/21ના રોજ કરેલો પરિપત્ર રદ કરવા અને વકીલો સાથે વર્તન વ્યવહાર જળવાય રહે અને વકીલોને પડતી મુશ્કેલી અંગે રાજકોટ બાર એસોશીએશન દ્વારા ડિસ્ટ્રક્ટ જજ અને હાઇકોર્ટના યુનિટ જજને પત્ર લખી ઘટતું કરવા માંગ કરી હતી.

Vlcsnap 2023 03 23 14H02M17S667

વકીલોના પ્રશ્નો અનુસંધાને પગલા લેવાતા ન હોવાથી હાઈકોર્ટ અને તંત્રનુ ધ્યાન દોરવા  છતા કાર્યવાહી ન થતા રાજકોટ બારના વકીલોએ ગત તા.21 ના રોજ તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી સિવિલ કોર્ટ બિલ્ડીંગ પાસે વકીલોએ મોટી સંખ્યામાં એકત્રીત થઈ ડિસ્ટ્રીકટ જજ દ્વારા કરવામાં આવેલા પરિપત્રની હોળી કરી સુત્રોચાર વિરોધ નોંધાવ્યો હતો. અને આ અંગે ભાવી પગલા માટે આજે બાર એસોસીએશન દ્વારા જનરલ બોર્ડ  બોલાવવામાં આવ્યું હતું. આજે જનરલ બોર્ડ મળે તે  ડિસ્ટ્રીકટ જજ દ્વારા પરિપત્ર રદ કરી નવી કોર્ટના પ્રશ્નો અંગે યુનિટ જજ રાજકોટ ખાતે આવે ત્યારે મીટીંગ કરી રજુઆત કરવાનું જણાવતા વકીલો અને બેન્ચ વચ્ચે ચાલતા વિવાદનો સુખદ અંત આવ્યો હતો.

બાર એસોસીએશન દ્વારા જનરલ બોર્ડ  બોલાવવામાં આવ્યું છે. આ તકે રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ લલીતસિંહ જે. શાહી, પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ એસ. પટેલ, ઉપ પ્રમુખ એન, જે.પટેલ, સેક્રેટરી દિલીપભાઈ એન. જોષી, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રસિહ.એફ.રાણા, ટ્રેઝરર કિશોરભાઈ આર. સખીયા, લાયબ્રેરી સેક્રેટરી જયદેવભાઈ જી.શુક્લ, કારોબારી સભ્ય જીજ્ઞેશ એમ.જોષી, તુલસીદાસ બી. ગોંડલીયા, મહર્ષીભાઈ સી, પંડયા, જયંતકુમાર વી. ગાંગણી, ગીરીશભાઈ કે. ભટ્ટ, જી.એલ રામાની, જી.આર.ઠાકર, બીપીનભાઈ એચ. મહેતા, બીપીનભાઈ આર. કોટેચા અને રંજનબા ટી. રાણા,  ઉપસ્થિત  રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.