Abtak Media Google News

જિલ્લા કલેક્ટર  રેમ્યા મોહને, રાજકોટ શહેર અને જિલ્લાના નાગરિકોને પોતાના અંગત પ્રશ્નો સાથે કલેક્ટર કચેરી નહિ આવવાની અપીલ કરતાં લોક ડાઉનની મર્યાદાઓને ચૂસ્તપણે પાળવા ભારપૂર્વક જણાવ્યું છે.

હાલમાં કોરોના વાયરસના સંક્રમણનને ખાળવા વહીવટીતંત્ર પોતાની પુરી શક્તિથી કામે લાગ્યુ છે. જેમાં આરોગ્ય સેવા, અનાજ પુરવઠો,દૂધ, શાકભાજી,દવાઓ જેવી અતિ આવશ્યક ચીજ-વસ્તુઓની આપૂર્તિ યોગ્ય રીતે જળવાઇ રહે. તેમજ જિલ્લામાં કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નબને તે રીતે દિવસ-રાત આવી કામગીરી કરવામાં આવી રહી છે.

જન-જીવન કોઇ પણ પ્રકારની મુશ્કેલી વગર ચાલતું રહે, શાંતિ જળવાઇ રહે સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બહાલ થાય તે માટે યોગ્ય અને ઉચિત પગલાઓ પ્રસાશન ધ્વારા લેવામાં આવી રહ્યાં છે.

સરકારની સૂચનાઓ અને સેવાઓના યોગ્ય અમલ જરૂરિયાતમંદ સાથે છેવાડાના વ્યક્તિ સુધી થાય તેમને જે પણ કોઇ રાહત કે મદદ આપવાની થાય તે બાબત ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સાથે તંત્ર ખડે પગે ફરજ નિભાવી રહ્યું છે.

આવા સંજોગોમાં કેટલાંક નાગરિકો પોતાની અંગત અને નાની-નાની સમસ્યાઓ લઇને છેક કલેક્ટર કચેરીએ આવતાં હોય છે. તેઓ પોતાનો અને તંત્રનો કિંમતી સમય વેડફી રહ્યાં છે. સાથે લોકડાઉનની મર્યાદાઓનું તેમજ પ્રવર્તમાન નિયમોનુ પણ ઉલ્લંઘન કરી રહ્યાં છે.

આવા તમામ નાગરિકોને કલેક્ટર કચેરી સુધી નહિ આવવાની અપીલ જિલ્લા કલેક્ટર સુશ્રી રેમ્યા મોહને ભારપૂર્વક કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.