Abtak Media Google News

અબતક, રાજકોટ

આગામી 30મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ છે.અહિંસાના પુજારી એવા પૂજ્ય બાપુના નિર્વાણ દિને નિર્દોષ પશુઓની કતલ અટકાવવા માટે શહેરમાં તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા માટે કોર્પોરેશન દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યું છે.

રવિવારે શહેરમાં તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા અને માંસ, મટન, મચ્છી તથા ચીકનના વેંચાણ કે સ્ટોરેજ પર પણ પ્રતિબંધ

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાના જણાવ્યાનુસાર આગામી રવિવારે રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિતે મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનના વેંચાણ કે સ્ટોરેજ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. જાહેરનામોનો ભંગ કરનાર વ્યક્તિ સામે ધી-જીપીએમસી એક્ટ-1949 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.