Abtak Media Google News
  • નવનિયુકત પ્રેસીડેન્ટ રાજકોટ ઠાકોર સાહેબનું રાજકીય, સામાજીક અને ધાર્મિક સંસ્થાના અગ્રણીઓએ કર્યુ અદકેરૂ બહુમાન
  • પ્રજાવત્સલ અને પ્રજાભિમુખ રાજવીઓએ આર.કે.સી. સ્થાપના કરી અનેક મહામાનવી આ દેશને સમર્પિત કર્યા

રાજકોટની ધરોહર અને માન, મોભો અને મર્યાદાના પ્રતિક ગણાતી મા સરસ્વતીનું ધામ એટલે રાજકુમાર કોલેજની ગણના થાય છે. રાજકુમાર કોલેજ ટ્રસ્ટના ઇતિયાસમાં સૌ પ્રથમ વખત પ્રેસિડેન્ટનું બિરૂદ રાજકોટના રાજ પરિવારના ફાળે જાય છે. ત્યારે રાજકોટની પ્રજામાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠત ગણાતી રાજકુમાર કોલેજ ટ્રસ્ટના નવ નિયુકત પ્રેસિડેન્ડ માંધાતાસિંહ જાડેજાનું રાજકીય આગેવાનો અને સમાજીક તેમજ ધાર્મિક સંસ્થાના આગેવાનો દ્વારા  બહુમાન કરવામાં આવ્યું છે.

Dsc 2713

રાજકુમાર કોલેજના ભાવસિંહજી હોલ નવ નિયુકત પ્રેસિડેન્ડ અને સર્વ સ્વિકૃત રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાનું ચેમ્બર ઓફ કોર્મસ, બોલબાલા, દિકરાનું ઘર (ઢોલરા), પુરૂપાર્થ વક મંડળ, બ્રહ્માકુમારી, લાઇફ મિશન, જીમખાના, વેસ્ટ રેલવ એમ્પોલય યુનિયન, એકતા ચેરીટેબલ ટ્રસ્ટ, ભુદેવ સેવા સમિતી, કચ્છ-કાઠીયાવાડ-ગુજરાત ગરાસીયા એસોસિએશન, ચંદ્રસિંહજી ભાડવા સ્ટ્રડી સર્કલ, હરભમજીરાજ ગરાસીયા બોર્ડીંગ, મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન, કરણી સેના અને સ્વ નિર્મૂળ શાળા સંચાલક મંડળ તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતીમા માંધાતાસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું.

Dsc 2757

આ કાર્યક્રમના સ્વાગત પ્રવચન એક્ટિંગ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટ વોર્ડન ચાકો થોન્સે કર્યુ હતુ.  ઠાકોર સાહેબ જયદીપસિંહ ઝાલા ઓફ લીંબડીએ નવ નિયુકત પેસિડેન્ટને આવકારી શુભેચ્છા પાઠવી અને ખંભે ખંભો મિલાવી સંસ્થાને સફળતાના શિખર સર કરવામાં આવશે. નવ નિયુકત પ્રેસિડેન્ટ માંધાતાસિંહજી જાડેજાએ પ્રસંગો ઉચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પ્રજા વત્સલ, પંજાભિમુખ રાજવીઓએ આર.કે.સીની સ્થાપના અને સર્વધન કર્યુ છે . રાજકુમાર કોલેજે દેશને રાજવીઓ આપ્યા છે. જેમાં રાજનિતીજ્ઞ ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા, આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં ખ્યાતી પામનાર જામ રણજીતસિંહજી, કવિ,લેખક લાઠી સ્ટેટ કવિ કલાપી, જેમણે જ્યાંશિક્ષણ લીધુ અને ગુજરાતી ભાષાના મહાન કવિ નાનાલાલે અહીં શિક્ષણ પણ આપ્યું છે.

Dsc 2734Dsc 2735

તેમજ અનેક સનદી અધિકારીઓ આપ્યા જેમાં ભારતના ભૂતપૂર્વ રાજદુત સુઝોનભાઈ ચિનોઇ ,ઉદ્યોગપતિ નરેશભાઇ પટેલ, વિનેશભાઈ પટેલ, શિક્ષણ શાસ્ત્રીઓમાં પાંચોદ રાજ પરિવારના એયાજ ખાન અને  રાજકોટના કિરણભાઈ પટેલ  સહિતના અનેક મહાનુભવો આ સંસ્થાએ આપ્યા છે. ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા પ્રેસિડેન્ડ બન્યા બાદ પડતર પ્રશ્નને અગ્રતા આપવામાં આવેશે જેમાં થી રેગ્યુલેશન કમિટી,ફી,વિદ્યાર્થીના અને કર્મચારી સહિતના પ્રશ્નોનો તેમજ આર કે સીમા સગવડતા વધારવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના સઘન પ્રયાસ સહિતના મુદ્દાઓ હાથ પર લેવામાં આવશે.તમામ પ્રશ્નોનો ઉકેલ લાવી સ્વાંગી વિકાસ સાધવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.

Dsc 2765

જસકી બુધ્ધી, બલ ઇસકા રાજકુમાર કોલેજના સુત્રને ચરિતાર્થ કરવાની છ મુદાના સિધ્ધાંતને અનુસરવા પ્રતિબધ હોવાનું તેઓએ અંતમાં જણાવ્યું છે. રાજય સભાના સભ્ય રામભાઇ મોકરીઆ, પરેશભાઇ ગજેરા, વી.પી. વૈષ્ણવ (પ્રેસીડેન્ટ ચેમ્બર ઓફ કોમર્સ), દર્શિતાબેન શાહ (ડે.મેયર) , હેલીબેન સહીતના તમામ શ્રેષ્ઠીઓએ માંધાતાસિંહજીને અને નવનિયુકત ટ્રસ્ટ મંડળને શુભેચ્છાઓ પાઠવી હતી. નરેશભાઇ પટેલ (પટેલ બ્રાસ વર્કસ પ્રા.લી.) અને મૌલેશભાઇ ઉકાણી (બાન લેબ પ્રા.લી.) એ શુભ સંદેશ પાઠવલો છે. જે સમારંભમાં વાંચી સંભળાવેલ, આ પ્રસંગે મોટી સંખ્યામાં ઠાકોર સાહેબ માંધાતાસિંહજીના સન્માનમા શ્રેષ્ઠઓ ઉ5સ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમ ઉચિત સન્માન સમારોહને તાળીઓના ગળગળાટથી વધાવી લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.