રાજકોટમાં આવતીકાલે ખેડૂત આંદોલનના સમર્થનમાં આંદોલન કરવાની મંજૂરી લેવા માટે કોંગ્રેસના નેતાઓ પોલીસ પાસે ગયા હતા. પરંતુ મંજૂરી ન મળતા કોંગ્રેસના નેતાઓ ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, ગિરધરભાઈ વાઘેલા, વસરામભાઇ સાગઠિયા, હેમંત વિરડા, અભિષેક તાળા તેમજ ડાયાભાઇ ગજેરા, પાલભાઈ આંબલિયા જિલ્લા પંચાયત ખાતે ધરણા પર બેસી ગયા હતા. આથી પોલીસે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠીયા સહિત કાર્યકરોની અટકાયત કરી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. અહીં પણ કોંગ્રેસ નેતાઓ ધરણા પર બેસી ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.કોંગ્રેસના આગેવાનોએ એવા આક્ષેપ પણ કર્યા હતા કે નામદાર સુપ્રીમકોર્ટનું માર્ગદર્શન હોવા છતાં ખેડૂતોને ખેડૂત સંમેલન કરવાની મનાઈ શા માટે ફરમાવવામાં આવી રહી છે. ગત તા.૨૦ના રોજથી સાંજના સમયથી ખેડૂત આગેવાનોને નજરકેદ કરાયા છે. કિસાન સંમેલન યોજાય એ પહેલાં ૨ દિવસથી સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનોને તંત્રએ નજર કેદ કરવાનું ચાલુ કર્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ