Abtak Media Google News

૨૦૧૬માં ગુરુદાસ કામત ગુજરાત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી હતા: છેલ્લા ઘણા સમયથી બિમાર કામતે આજે સવારે અંતિમ શ્ર્વાસ લીધા

કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુરુદાસ કામતનું આજે સવારે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી બિમાર ગુરુદાસ કામતે આજે સવારે અંતિમ શ્ર્વાસ લીધો હતો. કામતના અવસાનથી કોંગ્રેસે રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતા ગુમાવ્યા છે.

વર્ષ ૨૦૧૬માં ગુરુદાસ કામતને કોંગ્રેસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના રાષ્ટ્રીય પ્રભારી તરીકે નિમણૂંક કરી હતી.તેઓએ રાજયમાં કોંગ્રેસને બેઠી અને મજબૂત કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.

સૌરાષ્ટ્ર સહિત રાજયમાં અનેક સ્થળોએ તેઓએ કોંગ્રેસના બુથલેવલના કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને ગુજરાતમાં ફરી કોંગ્રેસ કઈ રીતે મજબૂત બને તે માટે તનતોડ મહેનત કરી હતી.

છેલ્લા કેટલાક સમયથી ગુરુદાસ કામત બિમાર હતા અને હોસ્પિટલમાં સારવાર લઈ ર્હયાં હતા. આજે સવારે તેનું નિધન થતાં કોંગ્રેસમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. કોંગ્રેસે એક રાષ્ટ્રીય કક્ષાના નેતા ગુમાવ્યા છે જેની ખોટ ભરપાઈ કરી શકાય તેમ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.