Abtak Media Google News

પાર્ટીના પુણે યુનિટના પ્રમુખ પ્રશાંત જગતાપે કહ્યું કે પવાર મંદિરની અંદર જવા માંગતા હતા, પરંતુ તેમણે માંસાહારી ખાધું હતું. એટલા માટે તે મંદિરની અંદર ન ગયા અને બહારથી દર્શન કર્યા.

Pawar 5 1

એનસીપી પ્રમુખ શરદ પવાર મંદિરની અંદર ગયા વગર બહારથી પરત ફર્યા બાદ વિવાદ સર્જાયો છે. વિપક્ષી પાર્ટીઓના ઘણા લોકો આના પર સવાલ ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિમાં પાર્ટી તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે શરદ પવારે નોન વેજ ખાધું હતું, તેથી તેઓ મંદિરની અંદર ન ગયા અને બહારથી દર્શન કર્યા.

વાસ્તવમાં પુણેમાં દગડુશેઠ મંદિરની જમીનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ જમીન મંદિર ટ્રસ્ટને સોંપવા માંગ ઉઠી છે. આવી સ્થિતિમાં NCP નેતા શરદ પવાર જમીનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. જોકે, તેઓ મંદિર પરિસરમાં પ્રવેશ્યા ન હતા અને બહારથી દર્શન કરીને પાછા ગયા હતા. આ પછી તે મંદિરની અંદર ન જતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

તે જ સમયે, આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે કહ્યું કે આવા પ્રશ્નો શા માટે પૂછવામાં આવે છે?  દર્શન કરવા જાય તો પ્રશ્નો પૂછાય અને ના જાય તો નાસ્તિક કહેવાય. તેણે કહ્યું, બહારથી જોવામાં શું ખરાબ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.