Abtak Media Google News

કોરોના વાયરસે વિશ્ર્વભરમાં ખલબલી મચાવી દીધી છે. આ વૈશ્ર્વિક મહામારીની આર્થિક, સામાજીક, માનસીક એમ દરેક ક્ષેત્રે ગંભીર અસરો ઉપજી છે. કૃષિ, ઉદ્યોગ અને સેવા એમ ત્રણેય સ્તરે નકારાત્મક અસર પડતા આર્થિક રીતે મોટો ફટકો પડયો છે. કોરોના સંક્રમણથી બચવા લોકો વધુ સજાગ થયા છે. કોરોનાના ભયનાં કારણે ટુરીઝમ ટ્રાવેલ્સને મોટુનુકશાન નીવડયું છે. ફલાઈટ, ટ્રેન અને બસ દ્વારા થતા પરિવહન સાથેનો નાતો ઘટયો હોય તેમ હવે, લોકો ફરવા જવા માટે પોતાના જ વાહનોનો ઉપયોગ કરવા ઈચ્છે છે એક સર્વેમાં આવા ૪૨% લોકો નોંધાયા છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે દેશભરનાં ગોવા, કેરળ, શિમલા જેવા ટોચના ફરવા લાયક સ્થળોમાં મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી નોંધાઈ છે. જેનાથી પ્રવાસન વિભાગને તો ફટકો પડયો છે. પરંતુ આ સાથે ટ્રાવેલ્સ ઉદ્યોગને પણ ફટકો પડયો છે. એઆઈ ડ્રાઈવર, ઈએમઆઈ પ્લેટફોર્મ જેસ્ટ મની દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છેકે, ૭૫% લાકેએએવો મત વ્યકત કર્યો છેકે તેઓ હજુ આગામી થોડા સમય સુધી ફરવાક જવા ઈચ્છુક નથી અને જે લોકો વેકેસન મનાવવા ઈચ્છુક છે તેઓ પોતાના ખાનગી વાહનોનો જ ઉપયોગ કરવા ચાહે છે. ૪૫% લોકોનું કહેવું છેકે, આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા હાલના સમયમાં સ્થાનિક મુસાફરી જ યોગ્ય છે. કોરોના સંક્રમણને અટકાવવા વિદેશ યાત્રા ટાળવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.