Abtak Media Google News
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ સતત વધતુ સંક્રમણ: એકિટવ કેસનોઆંક 1927 એ પહોચ્યો
  • ભાવનગર નર્સિંગ કોલેજની 9 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ: 250થી વધુ વિદ્યાર્થિનીના સેમ્પલ લેવાયા હતા

ગુજરાતમાં ફરી કોરોના રઘવાયો થયો હોયતેવું લાગી રહ્યું છે. રાજયમાં સતત કોવિડ સંક્રમણ વધી રહ્યું છે.રાજયમાં ગુરૂવારે કોરોનાના નવા 416 કેસ નોંધાયા હતા. આકરા નિયંત્રણો લાદવા પડે તેવી સ્થિતિ સર્જાય છે.છતા રાજય સરકાર હજી મોટા તાયફાઓ કરવાનું બંધ કરતી નથી એકિટવ કેસનો આંક 1927 એ પહોચી ગયો છે. રાજકોટ શહેરમાં પણ ગઈકાલે 15 નવા કેસ નોંધાયા હતા.

ગઈકાલે ગુરૂવારે ગુજરાતમાં કોરોનાના નવા 416 કેસ નોંધાયા હતા. 230 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા હતા જોકે ગઈકાલે એકપણ દર્દીનું મોત નિપજયું નથી ગુરૂવારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 182 કેસ સુરત કોર્પોરેશન વિસ્તારમાં 56 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 40 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 15 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 13 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 12 કેસ, જામનગર કોર્પોરેશનમાં 7 કેસ નોંધાયા હતા.

આ ઉપરાંત સુરત જિલ્લામાં 34 કેસ, વલસાડ જિલ્લામાં 12 કેસ, ગાંધીનગર જિલ્લામાં 8 કેસ, કચ્છ જિલ્લામાં 7 કેસ, ભરૂચ જિલ્લામાં 5 કેસ, મહેસાણામાં 3 કેસ, નવસારી જિલ્લામાં 3 કેસ, વડોદરા જિલ્લામાં 3 કેસ, અમદાવાદ જિલ્લામાં 2 કેસ, અમરેલી જિલ્લામાં 2 કેસ, આણંદ જિલ્લામાં 2 કેસ, ભાવનગર જિલ્લામાં 2 કેસ, મોરબી જિલ્લામાં 2 કેસ, પાટણ જિલ્લામાં 2 કેસ, બનાસકાંઠા, દેવભૂમી દ્વારકા, મહિસાગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક એક કેસ નોંધાયો હતો.ગઈકાલે રાજયમાં 230 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા 82229 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતુ. રાજયમાં હાલ 1927 એકિટવ દર્દીઓ છે. જે પૈકી ચાર દર્દીઓ વેન્ટીલેટર પર છે. અને 1923 દર્દીઓની હાલત સ્ટેબલ છે. કોરોનાથી હજી સુધી 10946 દર્દીઓના મોત નિપજયા છે.

રાજયમા જે રિતે દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો નોંધાય રહ્યો છે. તે જોતા એવુ લાગી રહ્યું છે કે કોરોનાની ચોથી લહેરનો આરંભ થઈ ગયો હોય રાજકોટ શહેર અને જિલ્લાની શાળાઓમાં માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવી દેવાયું છે. દરમિયાન આગામી દિવસોમાં બીજા કેટલાક આકરા નિયંત્રણો પણ આવે તેવી સંભાવના જણાય રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.