Abtak Media Google News

 સૌરાષ્ટ્રમાં નવા 598 કેસ, સૌથી વધુ રાજકોટ શહેર- જિલ્લામાં 276 કેસ:  પોરબંદરમાં રાહત યથાવત, માત્ર એક કેસ જ નોંધાયો 

રાજ્યમાં કુલ 2875 કેસ નોંધાયા, 2024 દર્દીઓ ડિસ્ચાર્જ થયા: 2.77 લાખ લોકોનું વેક્સિનેશન 

સૌરાષ્ટ્રમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. 11 જિલ્લામાં 598 કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધાયા છે. અહીં 276 જેટલા વિક્રમજનક કેસ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. સામે 16 દર્દીઓના મોત પણ નિપજ્યા છે. જો કે પોરબંદરમાં રાહત જોવા મળી છે. અહીં માત્ર એક કેસ જ નોંધાયો છે.

રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2875 કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 2024 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 591 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 233  કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 43 કેસો નોંધાયા છે. આમ કુલ 276 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 153 અને ગ્રામ્યમાં 32 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેરમાં 10465 અને જિલ્લામાં 10992 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે.

જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 54 અને ગ્રામ્યમાં 43  મળી કુલ 97 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 16 અને ગ્રામ્યમાં 21 મળી 37 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે શહેરમાં 4339 અને જિલ્લામાં 3536

લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 58 અને ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા છે. શહેરમાં 27 અને ગ્રામ્યમાં 0 મળી કુલ 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 8012અને જિલ્લામાં 7188 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

જૂનાગઢ શહેરમાં 17 અને ગ્રામ્યમાં 8 મળી કુલ માત્ર 25  કેસ જ નોંધાયા છે. જ્યારે શહેરમાં 8 અને જિલ્લામાં 0 મળી 8 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 1621 અને જિલ્લામાં 4729 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

જ્યારે દેવભૂમિ દ્વારકામાં 21 કેસ નોંધાયા છે. 1978 લોકોને વેકસીન પણ અપાઈ છે. ગીરસોમનાથ જિલ્લામાં 7 કેસ નોંધાયા છે. અને 2088 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં 27 કેસ નોંધાયા છે. સામે 11 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 1916 લોકોનું વેકસીનેશન કરાયું છે. અમરેલી જિલ્લામાં 18 કેસ નોંધાયા છે.

11 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 12127 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 20 કેસ નોંધાયા છે. 16 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 2698 લોકોને વેકસીન આપવામાં આવી છે. બોટાદ જિલ્લામાં 10 કેસ નોંધાયા છે. સામે 1779 લોકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે પોરબંદર જિલ્લામાં રાહત રહી છે. અહીં માત્ર એક જ કેસ નોંધાયો છે. સામે 8543 લોકોને વેકસીન પણ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.