Abtak Media Google News

હોટસ્પોટ વિસ્તાર સહિત શહેરભરમાં ૧૨ લાખથી વધુ ઉકાળા અને દવાની કિટનું થયું વિતરણ

કોરોના કોવિડ-૧૯ વાયરસની મહામારીને ડામવા દુનિયાભરના ફાર્માસીસ્ટ અને વૈજ્ઞાનિકો રસી શોધી રહ્યાં છે. ત્યારે કોરોના વાયરસને નાથવા શહેરની સિવિલ હોસ્પિટલમાં આયુર્વેદિક દવાનો ઉપચાર શરૂ કરી કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવશે. દુનિયાભરના લોકોએ કોઈ પણ બમારીમાં આયુર્વેદિક ઉપચાર અપનાવ્યો છે. ત્યારે કોરોના સામે લડવા માટે પણ દેશી ઉપચાર તરીકે ઉકાળા અને આયુર્વેદિક દવાઓનું વિતરણ સિવિલ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસના ભયંકર ફેલાવામાં આવી રહેલા જંગલેશ્ર્વર વિસ્તારમાં જે તે સમયે ૪૫ હજારથી પણ વધુ ઉકાળા અને દવાની કિટ સાથે અત્યાર સુધી શહેરભરમાં ૧૨ લાખ જેટલી કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી સમયે કેન્દ્રના આયુષ વિભાગની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદ પદ્ધતિથી ઉકાળા અને દવાઓનું નિ:શુલ્ક વિતરણ કરી લોકોને કોરોના સામે સુરક્ષિતતા બક્ષી છે. લોકો પણ કોરોના વોરિયર બની રોગ સામે લડવાની શક્તિ વધારો… હળદર, મીઠાના કોગળા કરો ને હા રોજ ઉકાળો પીવો તેવી આયુર્વેદ ઉપચાર સંશમની વટી, ત્રિકટુ ચુર્ણ, યષ્ટિમધુ ધનવટી, આયુ -૬૪, દશમુળ કવાથ પથવાદી માત્ર દવા જ નહિ પરંતુ આર્યુવેદની દેશ વિદેશમાં ખ્યાતિ, માન-સન્માન અને તેની મહત્તા સામે આવી છે, તેમ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ યુનિવર્સિટી રોડ રાજકોટના અધિક્ષક ડો. જયેશ પરમાર જણાવે છે.

કોરોના સામે રક્ષણ અર્થે કેન્દ્રના આયુષ વિભાગ દ્વારા ઉકાળા અને વિવિધ વટીનું રોજ સેવન કરો અને રોગ પ્રતિકારક શક્તિ વધારોનું મહાઅભિયાન દેશવ્યાપી છેડવામાં આવ્યું છે અને તે અસરકારક છે તેનું ઉદાહરણ આપતા ડો. પરમાર કહે છે કે, રાજકોટમાં જંગલેશ્વરમાં પ્રથમ કેશ આવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા પ્રત્યુત્તરમાં અમે માત્ર બે દિવસમાં  ૭૦ હજાર ઉકાળા અને દવાની કીટનું વિતરણ કર્યું હતું. લોકોને તેની મહતા સમજાવી કદાચ એ કામ કરી ગયું અને આ વિસ્તારમાં સંક્રમણ દર ઘટ્યો તેમ કહી શકાય.

ખરેખર આ ઉકાળા અને સંશમની વટી કેવી રીતે રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેના જવાબમાં તેઓ જણાવે છે કે, આપણું શરીર ત્યારે જ નિરોગી કહેવાય જયારે કફ, પિત્ત અને વાયુ સપ્રમાણ હોઈ. શરીમાં કફ અને વાયુ દોષ વધે, પાચન શક્તિ ઘટે એટલે વાયરસનો પ્રભાવ વધે. જો ગળાની ચિકાસ ને કંટ્રોલમાં રાખીએ અને વાયુ જે વહનકર્તા છે તેને દાબમાં રાખીએ તો આ વાયરસ આપણા શરીરમાં તેનું સંક્ર્મણ વધારી શકે નહીં. બસ આ જ કામ આ ઉકાળો અને ગોળી કરી શકે છે.

જ્યારે આયુર્વેદિક ઉકાળા અને તેની અસર વિશે જણાવ્યું હતું કે, સંશમની વટીમાં ગળો, પીપર જેવા ઔષધો હોય છે જે કફને તોડે છે, તાવને મટાડે છે ને જઠરાગ્નિને તેજ કરે છે. જયારે ત્રિકટુ ચૂર્ણ, જેમાં સૂંઠ, મરી અને પીપરના સરખા ભાગ કરીને તેનો ૨ ગ્રામ પ્રતિ વ્યક્તિ ઉકાળો બનાવવાથી કે મધ સાથે ચાટવાથી આ ઔષધ કફને તોડે છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. જયારે  યષ્ટિમધુ ધનવટી જેને આપડે જેઠીમધ તરીકે ઓળખીયે છીએ તે ગળામાં થયેલી તકલીફ, ઉધરસ, શરદી તથા ચિકાસનો નાશ કરે છે. આજ રીતે આયુ ૬૪ એક પેટન્ટ દવા છે જેમાં કડુ, કરિયાતું, સપ્તપર્ણ, સાગરગોટા જેવા ઔષધો હોઈ છે જે સવાર સાંજ લેવાથી ત્રિદોષક જવરનો નાશ કરે છે અને જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. દશમુળ કવાથમાં શાલીપર્ણી, પૃષણપર્ણ, બૃહતી, કંટકરી, ગૌક્ષુર, બિલ્વ, શ્યાનેક, પાટલા,ગોભરી, ચરણી સહીત જુદા જુદા દશ ઔષધોના મૂળ એકત્ર કરી ચૂર્ણ બનવવામાં આવે છે જે વાત, પિત્ત અને કફની વિકૃતિ દૂર કરે છે તેમજ જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. જયારે પખાવદી કવાથ હરડે, બહેડા, ગળો, નીમ, ભોનીમ્બ  સહિતના ઔષધો અધકચરા ખાંડી કવાથ બનાવવામાં આવે છે જે તાવ, માથાનો દુખાવો અને પાચન શક્તિ વધારે છે.

ઉપરોક્તવિવિધ ઔષધોનું સેવન કરવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ખોરાકનું સંપૂર્ણ પાચન થવાથી શરીરને જરૂરી વિટામિન અને મિનરલ્સ છુટા પાડે છે પરિણામે રોગપ્રતિકારક શક્તિ વધારી કોરોના સામે રક્ષણ મેળવી શકાય છે. ઉકાળા અને દવાની આજ સુધીમાં ૧૨ લાખથી વધુ કીટનું વિતરણ રાજકોટના જુદાજુદા વિસ્તારમાં વિવિધ સંસ્થાના સહયોગથી કરવામાં આવ્યું છે. હજુ પણ ઉકાળાનું રોમટિરિલય હોસ્પિટલ ખાતેથી મેળવી શકાશે તેમ ડો. જયેશભાઈએ જણાવ્યુ હતુ.

ઘરે પણ આ ઉકાળો તૈયાર કરી શકાય છે, જે બહુ સરળ છે. ૧૦ જેટલા તુલસીના પાન, બે મારીને ૧ ગ્લાસ પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી વધે ત્યારે તેને પીવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે ને તુલસીમાં ફીમોલિક કમ્પાઉન્ડ ગ્રુપ હોઈ છે જે એન્ટી વાયરલ છે. આ ઉપરાંત કાળી દ્રાક્ષ ચુસવી, લીંબડો, ગુગળ કે કપૂરનો ધૂપ કરી હવાનું શુદ્ધિકરણ કરી ઘરમાં રહેલા વિષાણુંઓને દૂર કરી શકાય છે. રાઈ,મીઠા અને અજમાનો નાસ લેવો જોઈએ.

રાજકોટ કોવીડ – ૧૯ સિવિલ હોસ્પિટલ ખાતે રહેલા કોરોનાના દર્દીઓને સહમતી સાથે અમે ઈલાજ કરી અને તેમને જરૂરિયાત મુજબ દવા આપી જેમાં ૪ વક્તિઓએ આર્યુવેદીક ઉપચાર થકી સાજા થવા પરવાનગી આપી હોવાનું ડો. પરમાર જણાવ્યું હતું.

આયુષ વિભાગની ગાઈડ લાઈન મુજબ સૌપ્રથમ જુદા જુદા તબક્કામાં ક્વોરેન્ટાઈન થયેલા લોકોને આર્યુવેદીક ઉપચાર થકી પ્રાથમિક સારવાર કરવામાં આવી, ત્યારબાદ અ સિમટમ્સ  ધરાવતા દર્દીઓમાં ત્યારબાદ માઈલ્ડ સિમટમ્સ ધરાવતા દર્દીઓમાં સારું પરિણામ જોવા મળતા હવે સિવિયર દર્દીઓની પણ સારવાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.