Abtak Media Google News

અમરેલીના ખાંભા તાલુકાનો સમઢિયાળા ગામે રહેતા વૃઘ્ધ દંપતિ ગતકાલે પોતાના ઘરે રાત્રીના સમયે ઉંઘી રહ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના ઘરમાં લુંટના ઇરાદે કુસી તેમના પર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઇજા પહોચતા વૃઘ્ધાનું કરુણ મોત નીપજયું હતું. જયારે તેના પતિને ગંભીર ઇજા પહોચતા તેમને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્લામાં ગીરમાં આવેલા ખાંભા તાલુકાના સમઢીયાળા ગામે રાત્રીના સમયે રહેણાંકના મકાનમાં ઘૂસીને ચોરી કે લૂંટના ઇરાદે આવેલા શખસોએ મહિલાની હત્યા કરીને ફરાર થઇ જતા ખળભળાટ મચી ગયો છે.

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના સમઢીયાળા ગામે રહેતા કમળાબેન હરજીભાઈ શેલડીયા અને તેમના પતિ હરજીભાઈ હરિભાઈ શેલડીયા પોતાના ઘરમાં હતા અને આરામ કરતા હતા તે સમયે મોડી રાત્રિના અજાણ્યા શખસો ચોરી કે, લૂંટ કરવાના ઈરાદા સાથે હથિયારો લઈને તેમના ઘરમાં ઘુસ્યા હતા અને પતિ પત્ની જાગી જતા બન્ને ઉપર હુમલો કર્યો હતો જેથી બન્ને પતિ પત્નીને ગંભીર ઇજાઓ થઈ છે.

બનાવમાં ગંભીર ઇજાઓ થવાના કારણે કમળાબેનનું મૃત્યુ થયું હતું જ્યારે તેમના પતિ હરજીભાઇને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. પોલીસે દ્વારા તપાસના ધમધમાટ વચ્ચે નાનકડા ગામમાં ઘરમાં ઘૂસીને લૂંટ કે,ચોરીના ઇરાદે હત્યાની ઘટનાના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.