Abtak Media Google News

સામાન્ય કાર્યર્ક્તા તરીકે પોતાની કારકીર્દી શરૂ કરનાર અને વિવિધ સંગઠનલક્ષી કામગીરીઓ સફળતાપૂર્વક  નિભાવી ચૂકેલા પ્રદેશ અધ્યક્ષ્ા તરીકે તા.ર0/7/ર1ના રોજ પોતાના કાર્યકાળના 1 વર્ષ પૂર્ણ થવાના અવસરે શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ કમલેશ  મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજીના પોતાના બહોળા રાજનૈતિક અનુભવથી ગુજરાત ભાજપનું સંગઠન મજબુત બન્યુ છે. ભાજપનો પ્રત્યેક કાર્યર્ક્તા ‘સબ સમાજ કો લીયે સાથ મે  આગે  હી બઢતે જાના’ ના મંત્ર સાથે રાષ્ટ્ર પ્રથમ ના ભાવ સાથે કાર્યર્ક્તાઓ સેવા હી સંગઠન ના મંત્ર સાથે કામ કરી રહયા છે.

ત્યારે ભાજપના લાખો કાર્યર્ક્તાઓના પરીશ્રમ, ત્યાગ અને સમર્પણથી ગુજરાતના છેવાડાના માનવી  સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે  ત્યારે પ્રદેશ અધ્યક્ષ્ા સી.આર. પાટીલજીના નેતૃત્વમાં છેલ્લા એક વર્ષમાં રાજયમાં વિવિધ સ્થળોએ યોજાયેલ પેટાચૂંટણી અને સ્થાનીક સ્વરાજની ચૂંટણી, મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થયો છે. ત્યારે સી.આર. પાટીલજી  ધ્વારા સમગ્ર રાજયમાં પાર્ટી ધ્વારા પેજપ્રમુખ અને પેજસમિતિ કામગીરીને ચોમેર બીરદાવવામાં આવી છે.

પ્રદેશ અધ્યક્ષ્ા તરીકે સી.આર. પાટીલજીને 1 વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેર ભાજપ ધ્વારા  કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ 18 વોર્ડમાં આવતીકાલે તા.ર0/7ના સવારે 10:30 કલાકે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશે. વોર્ડ વાઇઝ કુમાર છાત્રાલય, ચુનાના ભઠૃા પાસે, ફળેશ્ર્વર મહાદેવ મંદીર, પુનીતનગર સીંધી કોલોની શાકમારકેટ પાસે, વેલનાથ આંગણવાડી ખાતે, સર્વેશ્ર્વર વિદ્યામંદીર, નવાગામ ખાતે, માંડા ડુંગર આરોગ્ય કેન્દ્ર પાસે, રામનાથપરા ખાતે, ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમીનમાર્ગ ખાતે, રોઝરી સ્કુલ ની બાજુમાં ગાર્ડન, સત્યસાઈ હોસ્પિટલ રોડ ખાતે, પંચશીલ એપાર્ટમેન્ટ, ઓમનગરના છેડે , પ્રમુખનગર કોમન પ્લોટ ખાતે, કૃષ્ણનગરનો બગીચો, સ્વામીનારાયણ ચોક પાસે, ભક્તિનગર સોસાયટી બગીચા ખાતે, અમુલ સર્કલ, ભરતનગરવાળો રોડ, વોર્ડ નં.16 માં મહેશ્ર્વરી સોસાયટી ખાતે, રાજલક્ષ્મી સોસાયટીનો વંડો, સોમનાથ વિદ્યાલય પાસે, બીલેશ્ર્વર મહાદેવ મંદીર, ખોડલાધામ રેસીડન્સી પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.