Abtak Media Google News

જાણીતી સિંગર શ્રેયા ઘોષાલે ફરી આજે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. આ વખતે કોઈ તેના ગીત કે શૉ થી નહીં પણ તેના ઘરે આવેલા મહેમાનથી તે સમાચારમાં આવી છે. શ્રેયા ઘોષાલે 2015માં શીલાદિત્ય મુખોપાધ્યાયે સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ બાદ તેના ઘરે પારણું બંધાયું છે.

શ્રેયા ઘોષાલે અને તેના પતિ શીલાદિત્ય મુખોપાધ્યાયે ઘરે આવેલા મહેમાનની વાત શેર કરતા ખુબ ખુશી વ્યક્ત કરી હતી. શ્રેયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેના ચાહકો અને અનુયાયીઓ સાથે પોસ્ટ શેર કરીને ખુશખબર આપી હતી કે, ‘ભગવાન એ અમને આજે બપોરે એક બાળક રૂપે આશીર્વાદ આપ્યા છે. આ એવી ભાવના છે જે આ પહેલાં ક્યારેય અનુભવાઈ ન હતી. હું અને મારા પરિવારના લોકો ખુશ છીએ.


શ્રેયા ઘોષાલે માર્ચ મહિનામાં પ્રેગ્નન્સી વિશે લોકોને માહિતી આપી હતી. શ્રેયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રેગ્નન્સીની ફોટો શેર કરી લખ્યું હતું કે, ‘બેબી શ્રેયાદિત્ય રસ્તામાં છે. શીલાદિત્ય અને હું આ ખબર તમારા સુધી પોહચાડતા ખુશી અનુભવીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.